IAF Sukhoi Crash Assam: આસામમાં વાયુસેનાનું સુખોઈ ફાઈટર જેટ ક્રેશ: દેશની રક્ષા કરતા ૨ પાયલટ શહીદ; વાયુસેનામાં શોકની લહેર.

IAF Sukhoi Crash Assam: કાર્બી આંગલોંગમાં ટ્રેનિંગ મિશન દરમિયાન સર્જાઈ દુર્ઘટના, સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરગકર શહીદ; વાયુસેનામાં શોકનું મોજું.

by Akash Rajbhar
IAF Sukhoi Su-30MKI Crashes in Assam Two Pilots Martyred; Court of Inquiry Ordered.

News Continuous Bureau | Mumbai

 આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં ગત રાત્રે ભારતીય વાયુસેનાનું (IAF) અત્યંત શક્તિશાળી ફાઈટર જેટ સુખોઈ Su-30MKI દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ કરૂણ અકસ્માતમાં વાયુસેનાના બે પાયલટ શહીદ થયા છે. વાયુસેનાએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે શહીદ થયેલા પાયલટોની ઓળખ સ્ક્વોડ્રન લીડર અનુજ અને ફ્લાઈટ લેફ્ટનન્ટ પૂર્વેશ દુરગકર તરીકે થઈ છે. આ સમાચાર મળતા જ સમગ્ર વાયુસેના અને દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

જોરહાટ એરબેઝ પરથી ભરી હતી ઉડાન

વાયુસેનાના જણાવ્યા મુજબ, આ સુખોઈ જેટ એક રૂટિન ટ્રેનિંગ મિશન પર હતું. તેણે જોરહાટ એરબેઝ પરથી ઉડાન ભરી હતી, પરંતુ તેના થોડા જ સમય બાદ એરબેઝથી લગભગ 60 કિલોમીટર દૂર તે ગુમ થઈ ગયું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે સાંજે 7:42 વાગ્યે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને ત્યારબાદ તે દુર્ઘટનાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું. વાયુસેનાના તમામ જવાનોએ શહીદ પાયલટોના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Raisina Dialogue 2026: અમેરિકા હવે ભારતને ચીનના ચશ્માથી નહીં જુએ! ટ્રમ્પના નજીકના ક્રિસ્ટોફર લેન્ડાઉનું મોટું નિવેદન; જાણો ટ્રેડ ડીલ પર શું છે નવો પ્લાન

સુખોઈ જેટની ક્ષમતા અને મેન્ટેનન્સ પર સવાલ

સુખોઈ Su-30MKI એ બે સીટ ધરાવતું મલ્ટીપર્પઝ ફાઈટર જેટ છે. રશિયન બનાવટના આ વિમાનનું નિર્માણ ભારતમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા કરવામાં આવે છે. ભારતીય વાયુસેના પાસે હાલમાં 260 થી વધુ સુખોઈ જેટનું કાફલો છે. જોકે, આ દુર્ઘટનાને કારણે વિમાનના મેન્ટેનન્સ અને સુરક્ષા પાસાઓ પર ફરીથી સવાલો ઉઠવા લાગ્યા છે. ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં સામેલ કરાયેલું આ વિમાન વાયુસેનાનું મુખ્ય હથિયાર માનવામાં આવે છે.

અગાઉની દુર્ઘટનાઓનો ઈતિહાસ

આ પહેલીવાર નથી જ્યારે સુખોઈ જેટ ક્રેશ થયું હોય. આ પહેલા ઓગસ્ટ ૨૦૧૯માં આસામના તેજપુર પાસે એક સુખોઈ જેટ ખેતરમાં ક્રેશ થયું હતું, જોકે ત્યારે બંને પાયલટ સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. મે ૨૦૧૫માં પણ તેજપુર એરફોર્સ બેઝ પાસે વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ ક્રેશ થયું હતું. ગત રાત્રે થયેલી આ દુર્ઘટનાના કારણોની તપાસ કરવા માટે વાયુસેનાએ ‘કોર્ટ ઓફ ઇન્ક્વાયરી’ ના આદેશ આપ્યા છે.

Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More