Lawrence of Punjab| ‘લૉરેન્સ ઓફ પંજાબ’ પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય

Lawrence of Punjab| પરિવારના વિરોધ અને કાનૂની દબાણ બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે આપ્યા નિર્દેશ; હાઈકોર્ટમાં અપાઈ જાણકારી.

by Zalak Parikh
Lawrence of Punjab| 'લૉરેન્સ ઓફ પંજાબ' પર મોટું સંકટ હવે ZEE5 પર નહીં રિલીઝ થાય લૉરેન્સ બિશ્નોઈ પર આધારિત સીરીઝ, સરકારનો મોટો નિર્ણય

 

News Continuous Bureau | Mumbai

Lawrence of Punjab| ગેંગસ્ટર લૉરેન્સ બિશ્નોઈના જીવન પર આધારિત વેબ સીરીઝ ‘લૉરેન્સ ઓફ પંજાબ’ છેલ્લા ઘણા સમયથી વિવાદોમાં ઘેરાયેલી હતી. આ વિવાદો અને સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને, આખરે ભારત સરકારે આ સીરીઝની રિલીઝ પર રોક લગાવી દીધી છે. હવે આ સીરીઝ નિર્ધારિત કાર્યક્રમ મુજબ ZEE5 પર સ્ટ્રીમ થશે નહીં. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ZEE5 ને આ સીરીઝ પ્રસારિત ન કરવા માટે સ્પષ્ટ સૂચના આપી દીધી છે.

હાઈકોર્ટમાં સરકારે આપી માહિતી

પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ભારત સરકાર તરફથી આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી હતી. સરકારના નિર્દેશો બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે લૉરેન્સ બિશ્નોઈના જીવન પર બનેલી આ ડોક્યુ-સીરીઝ હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે નહીં. આ નિર્ણય લેતા પહેલા અનેક સ્તરેથી સીરીઝને બેન કરવાની માંગ ઉઠી હતી.

પરિવાર અને રાજકીય સ્તરે વિરોધ

સીરીઝના ટ્રેલર રિલીઝ થયા બાદથી જ તેના વિરોધમાં અવાજો ઉઠ્યા હતા. લૉરેન્સ બિશ્નોઈના કાકા ના ભાઈ રમેશ બિશ્નોઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ સીરીઝ બનાવવા માટે પરિવાર કે સરકારની કોઈ મંજૂરી લેવામાં આવી નથી. આ પ્રકારની સામગ્રી બનાવીને તેઓ શું સાબિત કરવા માંગે છે?” પરિવાર ઉપરાંત પંજાબ પોલીસ અને વિવિધ કોંગ્રેસી નેતાઓએ પણ વડાપ્રધાનને પત્ર લખીને આ સીરીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.

ગેંગસ્ટરના નામ સાથે જોડાયેલા વિવાદો

ઉલ્લેખનીય છે કે લૉરેન્સ બિશ્નોઈનું નામ અવારનવાર દેશની હાઈ-પ્રોફાઈલ ઘટનાઓ સાથે ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘરે થયેલી ફાયરિંગ અને સલમાન ખાનના ઘર પર થયેલા હુમલાના કેસમાં પણ તેનું નામ સામે આવ્યું હતું. કદાચ આ જ કારણોસર, સરકાર આ પ્રકારની સીરીઝ દ્વારા કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી ન થાય તે માટે અત્યંત સાવચેત હતી.

👉 આ સમાચાર વાચો:
Aakhiri Sawaal| વિવાદોમાં ‘આખરી સવાલ’! ફિલ્મના પ્રોમોમાં ૧૯૯૨ની અયોધ્યા ઘટનાનો ઉલ્લેખ થતા લોકોમાં રોષ, જાણો શું છે વિવાદ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More