India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને ‘રાશનિંગ’ ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ

India Fuel Reserve Status। દુનિયાભરમાં તેલ સંકટ અને રેશનિંગ ના કડક નિયમો વચ્ચે ભારત સરકારનો ખુલાસો, દેશમાં ૬૦ દિવસનો ઈંધણ અને ૪૫ દિવસનો એલપીજી ભંડાર સુરક્ષિત.

by Zalak Parikh
India Fuel Reserve Status। પેટ્રોલ પંપ પર લાગશે લાંબી લાઈનો? ઈંધણની અછત અને 'રાશનિંગ' ના સમાચાર પર સરકારે તોડ્યું મૌન; જાણી લો લેટેસ્ટ સ્થિતિ

 

News Continuous Bureau | Mumbai

India Fuel Reserve Status। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવા માટે કરવામાં આવેલી અપીલ અને પશ્ચિમ એશિયાના યુદ્ધને પગલે દેશમાં તેલના ‘કોટા’ (Quota) લાગુ કરવાની અટકળો તેજ થઈ હતી. શ્રીલંકા, પાકિસ્તાન અને જર્મની જેવા દેશોમાં ઈંધણના વપરાશ પર મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને પગલે ભારતીય નાગરિકોમાં પણ ચિંતા જોવા મળી હતી. જોકે, કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને હાલમાં રેશનિંગ જેવી કોઈ યોજના નથી.

પેટ્રોલિયમ મંત્રાલયે અફવાઓ પર મૂક્યું વિરામ

પેટ્રોલિયમ સચિવ નીરજ મિત્તલે ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ના શિખર સંમેલનમાં જણાવ્યું હતું કે, ગભરાવાની કોઈ જરૂર નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારતમાં ઈંધણના સપ્લાયમાં કોઈ કાપ મૂકવામાં આવશે નહીં અને કોટા સિસ્ટમ લાગુ કરવાનો કોઈ વિચાર નથી. સરકારે વધારાના ઊર્જા કાર્ગો (Cargo) મેળવી લીધા છે અને હાલના સપ્લાયર્સ પાસેથી ખરીદી વધારી દેવામાં આવી છે જેથી માર્કેટમાં કોઈ અછત ન સર્જાય.

ભારત પાસે ૬૦ દિવસનો સુરક્ષિત ભંડાર

સરકારી આંકડાઓ મુજબ, ભારતે છેલ્લા ૬૭ દિવસથી ચાલી રહેલા વૈશ્વિક અવરોધો વચ્ચે પણ આશરે ૬૦ દિવસનો ઈંધણ ભંડાર અને ૪૫ દિવસનો એલપીજી (LPG) ભંડાર જાળવી રાખ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ૫૦ ટકાથી વધુનો વધારો થયો હોવા છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલ બે વર્ષ જૂના ભાવે જ વેચાઈ રહ્યા છે. આ સ્થિરતા જાળવવા માટે પેટ્રોલિયમ કંપનીઓને દરરોજ ૧,૦૦૦ કરોડથી ૧,૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન (Loss) થઈ રહ્યું છે.

અન્ય દેશોમાં ‘ફ્યુઅલ રેશનિંગ’ ના કડક નિયમો

જ્યારે ભારતમાં સ્થિતિ નિયંત્રણમાં છે, ત્યારે દુનિયાના અન્ય દેશોમાં કડક નિયમો લાગુ છે. સ્લોવેનિયામાં સામાન્ય વાહનચાલકો માટે અઠવાડિયે માત્ર ૫૦ લિટરની મર્યાદા છે, જ્યારે પાકિસ્તાનમાં પ્રતિ વાહન ૫ લિટર તેલનો નિયમ અમલી છે. શ્રીલંકામાં પણ QR કોડ સિસ્ટમ દ્વારા કારને ૨૫ લિટર અને બાઇકને ૫ લિટર ઈંધણ આપવામાં આવે છે. ફ્રાન્સ અને જર્મની જેવા વિકસિત દેશોમાં પણ અમુક વિસ્તારોમાં ઈંધણની ખરીદી પર મર્યાદા મૂકવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
PM Modi Gold Purchase Appeal। સોનાના વેપારીઓની ઉંઘ હરામ! પીએમ મોદીની ‘No Gold’ ની વાતથી જ્વેલરી સેક્ટરમાં હાહાકાર; શું ખરેખર ૧ કરોડ કારીગરો બેરોજગાર થશે?

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More