Anita Kanwal’s Shocking Claims| બોલિવૂડ કેમ બરબાદ થઈ રહ્યું છે? દિગ્ગજ અભિનેત્રી અનીતા કંવરે ખોલી અંદરની પોલ, સુપરસ્ટાર્સના ખર્ચા ગણાવીને મચાવ્યો ખળભળાટ

Anita Kanwal's Shocking Claims| ૨૫૦ કરોડની ફિલ્મ હોવા છતાં કેરેક્ટર આર્ટિસ્ટ્સની ફી કાપી લેવાય છે; 'સુસરાલ ગેંદા ફૂલ' ફેમ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યુમાં કાઢ્યો બળાપો

by Zalak Parikh
Anita Kanwal's Shocking Claims| બોલિવૂડ કેમ બરબાદ થઈ રહ્યું છે? દિગ્ગજ અભિનેત્રી અનીતા કંવરે ખોલી અંદરની પોલ, સુપરસ્ટાર્સના ખર્ચા ગણાવીને મચાવ્યો ખળભળાટ

 

News Continuous Bureau | Mumbai

Anita Kanwal’s Shocking Claims| ટેલિવિઝન જગતની જાણીતી વરિષ્ઠ અભિનેત્રી અને પ્રોડ્યુસર અનિતા કંવર અત્યારે મનોરંજન જગતમાં પોતાના એક વિવાદાસ્પદ ઇન્ટરવ્યુના કારણે ભારે ચર્ચામાં આવી ગઈ છે. તેમણે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના આંતરિક વાતાવરણ અને મોટા કલાકારોની વૈભવી જીવનશૈલી પર ચોંકાવનારા ખુલાસા કર્યા છે. અનિતાએ આરોપ લગાવ્યો છે કે, બોલિવૂડના ટોચના સુપરસ્ટાર્સની ભારેભરખમ ફી અને તેમની સાથે ફરતા સ્ટાફના મોટા ઠાઠમાઠના કારણે ફિલ્મોનું બજેટ શૂટિંગ દરમિયાન જ ખતમ થઈ જાય છે, જેની સીધી નકારાત્મક અસર નાના અને સહાયક કલાકારો (કેરેક્ટર એક્ટર્સ) ના મહેનતાણા પર પડે છે.

૭ વેનિટી વેન અને ૫૦ લોકોનો સ્ટાફ

જાણીતા પત્રકાર સાથેની ખાસ વાતચીતમાં અનિતા કંવરે જણાવ્યું કે, “હું આ વાત એક કેરેક્ટર એક્ટ્રેસ તરીકેના અંગત અનુભવ પરથી કહી રહી છું. ટોચના એક્ટર્સ ફિલ્મના નિર્માતાઓનું અડધાથી વધુ બજેટ પોતાના શોખ પાછળ જ વાપરી નાખે છે. શૂટિંગ સેટ પર એક-એક સુપરસ્ટાર માટે ૭ વેનિટી વેન અને આસપાસ ૫૦ લોકોનો અંગત સ્ટાફ તૈનાત હોય છે. આ બિનજરૂરી ખર્ચાઓના કારણે અમારા જેવા કલાકારો માટે કંઈ બચતું જ નથી. હકીકત એ છે કે ૨૫૦ કરોડ રૂપિયાના મોટા બજેટવાળી ફિલ્મમાં પણ અમારી ફીમાં કાપ મૂકવામાં આવે છે.”

ઓડિશનનો કડવો અનુભવ શેર કર્યો

ઇન્ટરવ્યુ દરમિયાન અનિતાએ પોતાનો તાજેતરનો એક કડવો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું કે, “હું આજે પણ સતત ઓડિશન આપી રહી છું. હાલમાં જ એક ઓડિશન દરમિયાન આસિસ્ટન્ટે મને મારો પરિચય (ઇન્ટ્રોડક્શન) આપવા કહ્યું. મેં તેને સામે જવાબ આપ્યો કે, હું અનિતા કંવર છું અને હું ત્યારથી એક્ટિંગ કરું છું જ્યારે તમારામાંથી મોટાભાગના લોકોનો જન્મ પણ નહોતો થયો. આ સાંભળીને ત્યાં હાજર બધા શાંત થઈ ગયા, પરંતુ છેલ્લે મને તે રોલ મળ્યો નહીં. મને લાગે છે કે હવે ઇન્ડસ્ટ્રીમાં મારા કામની કોઈ કદર રહી નથી.”

માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે અનિતા કંવર

કામ ન મળવાના કારણે અનિતા કંવર હાલમાં ભારે માનસિક તણાવ અને હતાશાનો સામનો કરી રહ્યા છે. તેમણે પોતાના દિલનું દર્દ વ્યક્ત કરતા કહ્યું કે, “એક સમય એવો હતો જ્યારે હું એકસાથે ૧૩ ટીવી શોમાં કામ કરતી હતી, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. જ્યારે લોકો તમને ભૂલી જાય છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ક્યારેક મને એવો વિચાર આવે છે કે હું આખરે જીવી જ કેમ રહી છું? મારો સમાજ કે કામમાં હવે શું ફાળો છે?” ઉલ્લેખનીય છે કે અનિતા કંવરે ‘બનેગી અપની બાત’, ‘સોનપરી’, ‘સસુરાલ ગેંદા ફૂલ’ અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ જેવા સુપરહિટ ટીવી શોઝ ઉપરાંત ‘મુજસે દોસ્તી કરોગે’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ યાદગાર ભૂમિકાઓ ભજવી છે.

👉 આ સમાચાર વાચો:
Divyanka Tripathi Twins Baby| લગ્નના ૧૦ વર્ષ બાદ દિવ્યાંકા ત્રિપાઠીના આંગણે ખીલ્યા બે ફૂલ! જોડિયા બાળકોના જન્મ બાદ એક્ટ્રેસે ફેન્સ માટે લખી આ ઇમોશનલ નોટ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More