શું મહાભારત બનાવનારા આ ફિલ્મ મેકરના ઘરમાં જ થઈ મહાભારત- વહૂએ વેચી માર્યો આલીશાન બંગલો-જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈના પોશ વિસ્તાર જુહુ(Juhu)માં આવેલા ઓ બંગલો(Bunglow) ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. બીઆર ચોપડા(BR Chopra)ની સાથે સાથે તેમનો આ આલીશાન બંગલો હંમેશા સમાચારોમાં રહ્યો. પરંતુ હવે તે વેચાઈ ચુક્યો છે. મળતી માહિતી અનુસાર આ બંગલાને બીઆર ચોપડાની વહુ અને રવિ ચોપડા(Ravi Chopra)ની પત્ની રેનૂ ચોપડા(Renu Chopra)એ એક રિયલ એસ્ટેટ ડેવલોપર(Real Estate Developer)ને લગભગ ૧૮૩ કરોડમાં વેચ્યો છે. રિપોર્ટ્‌સનું માનીએ તો, આ બંગલાને કહેજા કોર્પે ખરીદ્યો છે. ડીલ થયા બાદ કંપનીએ ૧૧ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી છે. આ ઘર સી પ્રિન્સેસ હોટેલ(Sea Princess Hotel)ની સામે છે. જ્યાં બી. આર. ચોપરા તેમનો બિઝનેસ કરતા હતા.

સતત ફ્લોપ ફિલ્મો આપવાના કારણે તેમનું પ્રોડક્શન હાઉસ ખોટમાં હતું. વર્ષ ૨૦૧૩માં તેના દિકરાએ બંગ્લાની સાફ સફાઈ કરાવી હતી. હવે આ બંગલો વેચાઈ ગયો છે. બી આર ચોપરાનો શો મહાભારત(Mahabharat) ખૂબ જ ફેમસ થયો હતો. વર્ષ ૨૦૦૮માં તેમનું નિધન થયું હતું. મુંબઈ(Mumbai)ના પોશ વિસ્તાર જુહુમાં આવેલા ઓ બંગલો ખૂબ જ આલીશાન હતો. ૨૫ હજાર સ્કવેર ફીટ જમીન પર બનેલો આ બંગલો જુહુ વિસ્તારમાં લગભગ એક એકર જમીનમાં ફેલાયેલો છે. દિગ્ગજ ફિલ્મ મેકર બીઆર ચોપરાનો બંગલો વેચાય ચુક્યો છે. સ્વર્ગસ્થ ફિલ્મમેકર(Film maker)ની વહૂએ પારિવારિક સહમતિથી આ બંગલો કરોડોમાં વેચ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- આ તારીખથી 18થી વધુ વયના લોકો મફતમાં લઈ શકશે કોરોનાનો પ્રિકોશન ડોઝ- જાણો વિગતે 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More