આ તારીખ સુધીમાં મસ્જીદો પરથી લાઉડસ્પીકર ખસેડો.. નહીં તો…. રાજ ઠાકરેએ આપી ચીમકી…..

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

મસ્જિદમાં (Masjid) સવાર-સાંજ વાગતા ભુંગળાનો (Loud speakers) વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે.

હવે ફરી એકવાર મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (MNS) પ્રમુખ રાજ ઠાકરેએ(Raj Thackeray)  લાઉડસ્પીકર્સને લઈને મહારાષ્ટ્ર સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. 

તેમણે કહ્યું છે કે, જો 3 મે સુધીમાં મસ્જિદોમાં લાઉડ સ્પીકર હટાવવામાં નહીં આવે તો સ્પીકરો પર હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. 

સાથે તેમણે કહ્યું કે આ કોઈ ધાર્મિક મુદ્દો નથી પણ સામાજિક મુદ્દો છે. 

હું રાજ્ય સરકારને (State Govt) કહેવા માંગુ છું કે અમે આ મુદ્દે પીછેહઠ કરવાના નથી. પછી તમે ગમે તે કરો.

ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે રાજ ઠાકરેએ આવું નિવેદન આપ્યું હોય. આ પહેલા પણ તેઓ મસ્જિદોમાં લાઉડ સ્પીકર વગાડવાનો વિરોધ કરી ચૂક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  હવે લડાઈ સીધેસીધી હિંદુત્વની. જો ભગવાન રામ ન હોત તો ભાજપ શું કરત? ઉદ્ધવ ઠાકરેનો સવાલ… જાણો વિગત…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More