News Continuous Bureau | Mumbai
કર્ણાટકની શાળાઓ અને કોલેજોમાં હિજાબ પહેરવાની માંગણી કરનાર વિધાર્થિનીઓને ઝટકો લાગ્યો છે.
સુપ્રીમ કોર્ટે આ મામલે તત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે.
વકીલની દલીલ પર ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે, પરીક્ષાઓને આ મુદ્દા સાથે કોઈ લેવાદેવા નથી. તેનો ઉલ્લેખ કરીને ઉત્તેજના ન ફેલાવો.
ફરિયાદી વતી વકીલે સુપ્રીમ કોર્ટમાં હિજાબ વિવાદ મામલે વહેલી સુનાવણીની માંગ કરતા કહ્યું હતું કે, 28 માર્ચથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આવી સ્થિતિમાં સુપ્રીમ કોર્ટે આ મામલે વહેલી તકે સુનાવણી કરવી જોઈએ.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કોર્ટે હિજાબ વિવાદ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે, હોળીની રજાઓ બાદ જ તેની પર વિચાર કરવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : કોંગ્રેસમાં ઉથલપાથલનો માહોલ, પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ તારીખે બોલાવી પાર્ટી મહાસચિવોની બેઠક, કેસી વેણુગોપાલ કરશે અધ્યક્ષતા; જાણો વિગતે