મોદી સરકારનો મોટો નિર્ણય, આ કિસ્સાઓમાં મૃતકના પરિવારજનોને મળશે 8 ગણું વળતર; આ તારીખથી નિયમો થશે લાગુ…

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022,  

સોમવાર,

હિટ એન્ડ રન કેસમાં સરકારે મોટો નિર્ણય લીધો છે. 

હવે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પર સ્વજનોને 8 ગણું વધુ વળતર મળશે.

હિટ એન્ડ રન કેસમાં પીડિતાના નજીકના સંબંધીઓને આપવામાં આવતું વળતર 25,000થી આઠ ગણું વધારીને 2 લાખ રૂપિયા કરવામાં આવ્યું છે. 

આ સિવાય આવા કિસ્સાઓમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને વળતરની રકમ પણ 12,500 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવી છે.

આ યોજના 1 એપ્રિલ, 2022 થી અમલમાં આવતા વળતર યોજના, 1989નું સ્થાન લેશે.

જોકે વળતર માટે અરજી કરવાની અને પીડિતોને ચૂકવણીની છૂટ આપવાની પ્રક્રિયા માટે પણ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના એક નોટિફિકેશનમાં આ જાણકારી આપવામાં આવી છે.

યુક્રેન પર રશિયા દ્વારા થઇ રહેલા હુમલાને લઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરી એક વખત કરવામાં આવ્યું વોટીંગ, જુઓ ભારતે કોનો પક્ષ લીધો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More