ખેડૂત નેતા રાકેશ ટિકૈતનું એલાન- આજે દેશભરનાં ખેડૂતો ઉજવશે ‘વિશ્વાસઘાત દિવસ’, જણાવ્યું આ કારણ.. 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

સોમવાર

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ફરી કેન્દ્ર સરકારને ઘેરી છે

તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ખેડૂતોની સાથે વિશ્વાસઘાત કર્યો છે. વચનો આપીને ફરી ગઈ છે. 

આ પગલે દેશભરનાં ખેડૂતો 31મી જાન્યુઆરીએ વિશ્વાસઘાત દિવસ મનાવશે અને પોતાનો વિરોધ વ્યક્ત કરશે.

ખેડૂતોનો આરોપ છે કે કેન્દ્ર સરકારે ટેકાના ભાવનો કાયદો, આંદોલનકારી ખેડૂતો સામેના કેસો પરત લેવા, અને આંદોલન દરમિયાન માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર આપવાના વચનોથી સરકાર ફરી ગઇ છે. 

નોંધનીય છે કે કેન્દ્ર સરકારે આ માગણીઓને સ્વિકારવાની લેખીતમાં ખેડૂતોને ખાતરી આપી હતી જે બાદ એક વર્ષ સુધી ચાલેલા ખેડૂતોના આંદોલનને પરત લેવામાં આવ્યું હતું.

મુંબઈગરાને રાહત! મુંબઈમાં ઓસરી ગઈ ત્રીજી લહેર? આજે કોરોનાના નવા દર્દીની સરખામણીએ સ્વસ્થ થનાર દર્દીઓનો આંક બમણો…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More