અનિલ દેશમુખ સામેના આરોપ અને ધરપકડ એટલે તેમની સામેનું કાવતરુ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના આ નેતાનો આરોપ; જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ સામે કરવામાં આવેલા આરોપ અને તેમની ધરપકડ એ ભાજપનું કાવતરું હોવાનો ચોંકાવાનો આરોપ રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રવક્તા અને લઘુમતી ખાતાના પ્રધાન નવાબ મલિકે કર્યો છે. નાર્કોર્ટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈના અધિકારી સમીર વાનખેડે સામે સતત આરોપ કરનારા નવાબ મલિકે ગુરુવારે એક પત્રકાર પરિષદ લીધી હતી. જેમાં તેમણે અનિલ દેશમુખને ખોટી રીતે ફસાવવમાં આવ્યા છે. ભાજપના અમુક લોકો તે માટે આગળ આવ્યા હોવાનો આરોપ કર્યો હતો. આજે નહીં તો કાલે સચ્ચાઈ બહાર આવશે એવો દાવો પણ તેમણે કર્યો હતો. અનિલ દેશમુખનો બચાવ કરતા નવાબ મલિકે કહ્યું હતું કે સચિન વાઝે અને પરમબીર સિંહે મુંબઈમાં ખંડણીનો ધંધો ચાલુ કર્યો હતો. એન્ટેલિયા સામે બોમ્બ મુકવાનું કાવતરુ પણ તેમનું જ હતું. સરકારને અંધારામાં મૂકીને આ કાવતરા રચવામાં આવ્યા હતા.વિધાનસભામાં ગૃહ પ્રધાન અને મુખ્યપ્રધાનને ખોટી માહિતી આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાનો આરોપ પણ નવાબ મલિકે કર્યો હતો. પૂરું પ્રકરણ બહાર આવતા પરમબીરની બદલી કરવામાં આવી હતી. આ પ્રકરણ આગળ વધશે એવું જણાવતા ભાજપના મદદથી અનિલ દેશમુખ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. પરમબીરની ફરિયાદ બાદ અમુક લોકોએ સીબીઆઈ મારફત એફઆઈઆર કરાવી હતી અને ત્યારબાદ અનિલ દેશમુખને ફસાવવાનો પ્રયાસ ચાલુ કરવામાં આવ્યો હોવાનો આરોપ પણ નવાબ મલિકે કર્યો છે.

દિલ્હીમાં પ્રદૂષણને નિયંત્રણમાં લેવા નવો અખતરો, વાહનચાલકોએ જો આ કામ નહીં કર્યું હોય તો તેને પડશે 10 હજાર રૂપિયાનો ફટકો; જાણો વિગત.
 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More