મહારાષ્ટ્રના પ્રધાન નવાબ મલિકનો મોટો ધડાકો, કહ્યું : જો હું ખોટો પડ્યો તો પ્રધાનપદ પરથી રાજીનામું આપીશ, સમીર વાનખેડે સામે સૌથી ગંભીર આરોપ કર્યો; જાણો વિગત

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 27 ઑક્ટોબર, 2021
બુધવાર
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જ્યારથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના સકંજામાં આવ્યો છે ત્યારથી રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા નવાબ મલિકની રાતની ઊંઘ ઊડી ગઈ છે. છેલ્લા ત્રણ દિવસથી તેઓ દરરોજ સવારના સમયે પ્રેસ-કૉન્ફરન્સ કરે છે અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના ચીફ એવા સમીર વાનખેડે પર આરોપો મૂકે છે.

વાહનચાલકો માટે કામના સમાચાર : બાળકોને બાઈક પર બેસાડતા પહેલા સાવધાન, હવે આ નિયમોનુ કરવુ પડશે ફરજીયાતપણે પાલન

હવે તાજા આરોપો હેઠળ નવાબ મલિકે કહ્યું છે કે સમીર વાનખેડેનું સાચું નામ દાઉદ વાનખેડે છે. આ ઉપરાંત તેમણે ટ્વિટરના માધ્યમથી દાઉદ વાનખેડે નામનું નિકાહપત્ર પણ સાર્વજનિક કર્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સમીર વાનખેડેની પહેલી પત્ની અને તેના પરિવારને હાલ ધમકીઓ આપવામાં આવી રહી છે.
પોતાના આરોપો સંદર્ભે તેમણે વધુમાં જણાવ્યું છે કે જો તેમના આરોપો ખોટા પડશે તો તેઓ પોતાના પ્રધાનપદ પરથી રાજીનામું આપી દેશે

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More