સોમવારના મહારાષ્ટ્ર બંધને પગલે રાજયને અબજોનું થયું નુકસાન; જાણો વિગત.

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 12 ઓક્ટોબર,  2021 

મંગળવાર.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી હિંસાચારની ઘટનાના વિરોધમાં સોમવારના મહાવિકાસ આઘાડી સરકારના ત્રણે પક્ષોએ જાહેર કરેલા રાજવ્યાપી બંધને કારણે મહારાષ્ટ્રને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.  આ બંધને રાજયમાં કેટલાક ઠેકાણે સંપૂર્ણ તો અમુક જગ્યાએ સંમિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અમુક જગ્યાએ જોકે છૂટક બનાવ બન્યા હતા. સત્તાધારી પાર્ટીએ રાજયમાં 100 ટકા બંધ સફળ થયો હોવાનો દાવો કર્યો હતો. બંધને પગલે મુંબઈમાં બેસ્ટની બસને તો રાજયમાં અનેક ઠેકાણે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસને નુકસાન થયું હતું. આ બંધને કારણે દુકાનો સહિત વેપારધંધા બંધ રહેવાને કારણે સમગ્ર રાજયમાં અબજો રૂપિયાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે. જોકે મુંબઈ સહિત રાજ્યને કેટલું આર્થિક નુકસાન થયું હતું, તેનો ચોક્કસ આંકડો મોડી સાંજ સુધી કદાચ બહાર પડે એવી શક્યતા છે. 

હિંદુ વિસ્તારોમાં મહાવિકાસ આઘાડીના ત્રણે પક્ષો સક્રિય પણ આ વિસ્તારોમાં પગ સુદ્ધા નહીં મૂક્યો.જાણો વિગત.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More