મુંબઈના સ્થાને કદાચ હવે આ જગ્યાએ IPL રમાશે, કોરોનાને કારણે પરિસ્થિતિ બદલાઈ…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યૂઝ બ્યુરો,

મુંબઈ, 6 એપ્રિલ 2021

મંગળવાર

ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL ૨૦૨૧ની શરૂઆત ૯ એપ્રિલથી ચેન્નાઈમાં થવાની છે. મુંબઈમાં પ્રથમ મેચ ૧૦ એપ્રિલે વાનખેડે સ્ટેડીયમમાં રમવામાં આવશે. હવે આમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે, વાનખેડે સ્ટેડીયમના બે મેદાનકર્મી અને એક પ્લંબરને કોરોના થયો છે. 

આ પહેલા પાછલા શનિવારે પણ ૧૦ મેદાનકર્મીઓને કોરોના થયો હતો, પરંતુ તેમના ઘણા લોકો હવે રિકવર થઈ ગયા છે. મહારાષ્ટ્ર સરકારે વીકએન્ડ લોકડાઉન અને નાઈટ કર્ફ્યુ છતાં મુંબઈમાં IPL યોજાવાની પરવાનગી આપી છે.

મહારાષ્ટ્રમાં વધતા જતા કેસને પગલે સાંઈબાબા મંદિર બાદ સિદ્ધિવિનાયક મંદિર ના દરવાજા દર્શનાર્થીઓ માટે બંધ કરાયા.

ઉલ્લેખનીય છે કે સરકારે નાઈટ કર્ફ્યુમાં પણ ટીમને પોતાની હોટલમાં જવા માટે રાત્રે આઠ વાગ્યા બાદ પણ પરવાનગી આપી છે, સાથે-સાથે સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવાની પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે. હવે જો જગ્યા બદલવામાં આવશે તો એ જગ્યાએ કદાચ ધર્મશાળા હોય શકે છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More