214
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
20 ઓક્ટોબર 2020
અભિનેતા સંજય દત્તે કેન્સરની બિમારીને માત આપી છે. તેમના નજીકના મિત્ર અને વેપાર વિશ્લેષકે આ માહિતી આપી છે. જોકે, તેણે અથવા તેના પરિવારે આની પુષ્ટિ કરી નથી. સોમવારે 61 વર્ષીય અભિનેતાનો પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં તેઓ કેન્સર મુક્ત થયા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પીઈટી સ્કેન કેન્સરની સૌથી ઓથેન્ટીક તપાસ માનવામાં આવે છે. આ સ્કેન પીડિતાના કેન્સરના કોષોની સચોટ સ્થિતિ દર્શાવે છે.કેન્સરના કોષોમાં અન્ય કોષો કરતા મેટાબોલિક દર વધારે હોય છે.
ઉલ્લેખનીય છે કે, સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ થતાં 8 ઓગસ્ટે લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમના કેટલાક પરીક્ષણો કરાયા હતા. ત્રણ દિવસ પછી, 11 ઓગસ્ટના રોજ, બહાર આવ્યું હતું કે તેને ફેફસાનું કેન્સર છે.
You Might Be Interested In
