Site icon News Continuous Bureau | Mumbai

Organic Farming: પ્રાકૃતિક કૃષિમાં આ પાંચ મહાભૂતનું છે વિશેષ મહત્વ

Organic Farming: પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આકાશ જેવા પરિબળો કરે છે છોડનો સંપૂર્ણ વિકાસ. માનવજાતિ અને પર્યાવરણને થતા ભારે નુકસાનને અટકાવવા ફરી પાછી પારંપરિક દેશી ખેતપદ્ધતિ અપનાવવી આવશ્યક

Organic Farming These five Mahabhutas are of special importance in natural agriculture

Organic Farming These five Mahabhutas are of special importance in natural agriculture

 News Continuous Bureau | Mumbai 

Organic Farming:  સમય સાથે પરિવર્તન થવું જરૂરી છે. કૃષિક્ષેત્રમાં ( Agriculture ) પણ બદલાયેલી ખેત પદ્ધતિ અસરકારક સાબિત થઈ રહી છે. પરંપરાગત ખેતીમાં વપરાતા ઝેરી રસાયણો, યુરિયા અને ડી.એ.પી.ખાતરના ઉપયોગથી જમીન બિનઉપજાઉ બની રહી છે. અળસિયા જેવા પાકમિત્ર કિટકો નાશપ્રાય: થયા છે. એટલે જ માનવજાતિ અને પર્યાવરણને થતા ભારે નુકસાનને અટકાવવા ફરી પાછી પારંપરિક દેશી ખેતપદ્ધતિ ( Farming method ) અપનાવવી આવશ્યક બની છે. ત્યારે છાણ અને ગૌમૂત્રની સાથે થતી પ્રાકૃતિક કૃષિ હવે સમયની માંગ છે.  

Join Our WhatsApp Channel

            પ્રાકૃતિક કૃષિમાં છોડના વિકાસમાં પંચ મહાભૂતો એટલે કે પૃથ્વી, જળ, હવા, અગ્નિ અને આકાશનું સંયોજન હોય  છે. આ પંચ મહાભૂત મળીને ઝાડ અને છોડના વિકાસ ( Plant development ) માટે જરૂરી પરિબળો પૂરા પડે છે. આ પંચ  મહાભૂત કેટલા તત્વોથી મળીને બને છે ? ભારતીય દર્શન શાસ્ત્ર ( Indian Philosophy ) મુજબ પંચ મહાભુત મુળભુત રીતે પૃથ્વી, જળ, અગ્નિ, હવા અને આકાશ  જેવા વિવિધ એકસો આઠ (૧૦૮) તત્વોથી બનેલા છે. ઝાડ અને છોડના વિકાસમાં ૨૭ નક્ષત્રો અને દરેક નક્ષત્રના ૪ પ્રકાર એમ તમામની ખૂબ ઊંડી અસર પડે છે. દરેક નક્ષત્રમાં સૂર્યના કિરણોની તીવ્રતા જુદી-જુદી હોય છે અને દરેક નક્ષત્રમાં છોડની બનાવટ પણ જુદી-જુદી હોય છે. કુલ ૨૭ નક્ષત્રમાં  દરેકના ૪ ચરણ એટલે કુલ ૨૭ x ૪= ૧૦૮ નક્ષત્ર.

Organic Farming:   પૃથ્વી

પૃથ્વી છોડ માટે જરૂરી ભૌતિક બંધારણ અને પોષક તત્વો પ્રદાન કરે છે. તે એક માધ્યમ છે જ્યાં છોડ તેમના મૂળને સંગ્રહિત કરે છે અને આવશ્યક ખનિજો અને પોષક તત્વોને શોષી લે છે. તેમાં માટી, રેતી અને કાંપ જેવા માટીના ખનિજોનો સમાવેશ થાય છે. તેમજ માટીની ફળદ્રુપતામાં ફાળો આપતા કાર્બનિક પદાર્થોનો પણ સમાવેશ થાય છે.

Organic Farming:   જળ:

 પ્રકાશસંશ્લેષણ, પોષક તત્વોનું પરિવહન અને તાપમાન નિયમન સહિત છોડની વૃદ્ધિ માટે પાણી મહત્વપૂર્ણ છે. તે જમીનમાં પોષક તત્વોને ઓગળવામાં મદદ કરે છે. તેને છોડ માટે સુલભ બનાવે છે. આમાં વરસાદ, ભૂગર્ભજળ અને ભેજ જેવા તમામ પ્રકારના ભેજનો સમાવેશ થાય છે.

આ સમાચાર પણ વાંચો  : Kedarnath landslide : કેદારનાથમાં વરસાદ અને લેન્ડ સ્લાઈડિંગમાં ફસાયેલા ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ થયું

Organic Farming:  વાયુ:

હવા પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી કાર્બન ડાયોક્સાઇડ અને શ્વસન માટે ઓક્સિજન પ્રદાન કરે છે. તે બીજ અને પરાગ માટે પણ ભૂમિકા ભજવે છે. જેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓનો સમાવેશ થાય છે.

Organic Farming:   અગ્નિ:

અગ્નિ સૂર્યની ઉર્જાનું પ્રતિનિધિત્વ કરે છે, જે પ્રકાશસંશ્લેષણ માટે નિર્ણાયક છે. આ ઊર્જા છોડને ખોરાકનું સંશ્લેષણ કરવાની જરૂર પૂરી પાડે છે.

Organic Farming:   આકાશ

આકાશ નીચે ખુલ્લું વાતાવરણ છોડના જીવનને ટેકો આપે છે. તે માધ્યમ છે જે અન્ય તત્વોને ધરાવે છે  સાથોસાથ વાયુઓ અને પ્રકાશના વિનિમયને સક્ષમ બનાવે છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

આ સમાચાર પણ વાંચો  : Mumbai News : ચાલુ કારની બહાર લટકીને યુવકે કર્યો ખતરનાક સ્ટંટ… અન્ય લોકોના જીવ મુક્યા જોખમમાં; જુઓ વાયરલ વીડિયો

Rice Industry: ચોખાની ઘટતી નિકાસથી સરકાર ચિંતિત: નવું માળખું સ્થાપવાના ચક્રો ગતિમાન
Lasalgaon Onion Price Drop। કેન્દ્રીય કૃષિ મંત્રીની ખાતરી પછી પણ ડુંગળી પકવતા ખેડૂતોનો રોષ યથાવત; લાસલગાંવ બજાર સમિતિમાં ખેડૂતોનું આંદોલન, શું છે મુખ્ય માંગણીઓ?
Pulses Prices। કઠોળના ભાવ ટેકાના ભાવથી નીચે ખેડૂતોમાં ચિંતા અને સરકાર માટે મુશ્કેલ સ્થિતિ
Castor Seed Market : એરંડામાં સ્ટોકિસ્ટોની લેવાલી અને અલનિનોના ભયથી તેજીનો મૂડ
Exit mobile version