Site icon

Tur Procurement MSP :મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોમાં તુવેર ખરીદીમાં વધારો થયો

Tur Procurement MSP :કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100% જેટલા ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.

Tur Procurement MSP Centre’s tur procurement at MSP crosses 1.3 lakh tonnes, benefiting over 89,000 farmers

Tur Procurement MSP Centre’s tur procurement at MSP crosses 1.3 lakh tonnes, benefiting over 89,000 farmers

News Continuous Bureau | Mumbai

 Tur Procurement MSP : સરકાર તુવેર, અડદ અને મસુરના ઉત્પાદનનો 100% હિસ્સો MSP પર ખરીદવા માટે પ્રતિબદ્ધ

Join Our WhatsApp Community

ભારત સરકારે 15માં નાણા પંચ ચક્ર દરમિયાન 2025-26 સુધી સંકલિત પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન (PM-AASHA) યોજના ચાલુ રાખવાની મંજૂરી આપી છે. સંકલિત PM-AASHA યોજના ખરીદી કામગીરીના અમલીકરણમાં વધુ અસરકારકતા લાવવા માટે સંચાલિત છે. જે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે લાભદાયી ભાવો પૂરા પાડવામાં જ મદદ કરતું નથી, પરંતુ ગ્રાહકોને પોષણક્ષમ ભાવે તેમની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરીને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં થતી અસ્થિરતાને પણ નિયંત્રિત કરે છે. સંકલિત PM-AASHA યોજનાની ભાવ સહાય યોજના હેઠળ, નિર્ધારિત વાજબી સરેરાશ ગુણવત્તા (FAQ) ને અનુરૂપ સૂચિત કઠોળ, તેલીબિયાં અને કોપરાની કેન્દ્રીય નોડલ એજન્સીઓ (CNAs) દ્વારા રાજ્ય સ્તરની એજન્સીઓ દ્વારા પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી સીધા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પર ખરીદી કરવામાં આવે છે.

કઠોળના સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે, સરકારે ખરીદી વર્ષ 2024-25 માટે રાજ્યના ઉત્પાદનના 100% જેટલા ભાવ સહાય યોજના (PSS) હેઠળ તુવેર, અડદ અને મસૂરની ખરીદીને મંજૂરી આપી છે.

સરકારે 2025ના બજેટમાં એવી પણ જાહેરાત કરી છે કે, દેશમાં કઠોળમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે આગામી ચાર વર્ષ માટે 2028-29 સુધી રાજ્યના ઉત્પાદનના 100% જેટલા તુવેર, અડદ અને મસૂરની ખરીદી કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : RBI new currency notes : બજારમાં ટૂંક સમયમાં આવશે 100 અને 200 રૂપિયાની નવી નોટો, જાણો જૂની નોટો નું શું થશે..

તદ્દનુસાર, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણે તુવેર (અરહર) મસુર અને અડદની ખરીદીને અનુક્રમે 13.22 LMT, 9.40 LMT અને 1.35 LMT મંજૂરી આપી. તેમણે ખરીફ 2024-25 સીઝન માટે ભાવ સહાય યોજના હેઠળ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઉત્તરપ્રદેશ રાજ્યોમાં કુલ 13.22 LMT ખરીદીને મંજૂરી આપી.

આંધ્રપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણા રાજ્યોમાં ખરીદી શરૂ થઈ ગઈ છે અને 11.03.2025 સુધીમાં આ રાજ્યોમાં કુલ 1.31 LMT તુવેર (અરહર) ખરીદી કરવામાં આવી છે. જેનાથી આ રાજ્યોના 89,219 ખેડૂતોને ફાયદો થયો છે. અન્ય રાજ્યોમાં પણ તુવેર (અરહર)ની ખરીદી ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે. તુવેરની ખરીદી NAFEDના eSamridhi પોર્ટલ અને NCCF ના aSamyukti પોર્ટલ પર પૂર્વ-નોંધાયેલા ખેડૂતો પાસેથી પણ કરવામાં આવે છે. ભારત સરકાર NAFED અને NCCF નામની કેન્દ્રીય નોડલ એજન્સીઓ દ્વારા ખેડૂતો પાસેથી તુવેરની 100% ખરીદી કરવા માટે પ્રતિબદ્ધ છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ
Congress MP: બૂટ ભીના ન થાય તે માટે પૂર પીડિતના ખભા પર ચડી ગયા કોંગ્રેસના સાંસદ; સોશિયલ મીડિયા પર થયા જોરદાર ટ્રોલ, જુઓ વિડીયો
Red Fort theft: લાલ કિલ્લામાંથી ચોરાયેલો કરોડોનો કળશ હાપુડમાંથી મળ્યો, આરોપીએ કબૂલ્યું કે એક નહીં પણ આટલા ની કરી હતી ચોરી
Mercedes Benz: જીએસટીમાં ઘટાડાની બમ્પર અસર! આ કંપનીએ કારની કિંમતોમાં કર્યો 11 લાખ સુધીનો ઘટાડો કર્યો, જુઓ કઈ કાર પર કેટલી છૂટ મળી
Exit mobile version