Site icon News Continuous Bureau | Mumbai

Onion Export Duty: ડુંગળી પર મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું, ખેડૂતોએ 40% નિકાસ ડ્યુટીનો વિરોધ કર્યો.. ખેડુતોમાં મોટા નુકસાનીનો ભય.. જાણો સમગ્ર વિગતો અહીં..

Onion Export Duty: કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યૂટી લાદવાથી ડુંગળીના નિકાસકારોને ભારે ફટકો પડ્યો છે.

40 percent duty on onion exports; 140 containers of onion stuck in JNPT, fear of huge loss

40 percent duty on onion exports; 140 containers of onion stuck in JNPT, fear of huge loss

News Continuous Bureau | Mumbai 

Onion Export Duty: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ (Onion Export) પર 40 ટકા ડ્યુટી લાદતાં ડુંગળીના નિકાસકારોને ભારે ફટકો પડ્યો છે. જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ (JNPT) પોર્ટ પર વિદેશમાં નિકાસ કરાયેલા ડુંગળીના 130 થી 140 કન્ટેનર ફસાયેલા છે. અચાનક નિકાસ ડ્યુટી લાદવાથી વિદેશમાં જતી ડુંગળીના ભાવમાં(onion price) 40 ટકાનો વધારો થયો છે. જેના કારણે વિદેશી વેપારીઓએ ડુંગળી ખરીદવાની ના પાડી દીધી હતી અને નિકાસ માટે આવેલી ડુંગળી જેએનપીટી (JNPT) પોર્ટમાં પડી છે .
જેએનપીટી પોર્ટની જેમ નાસિકે (Nashik) પણ તેની નિકાસ ગુમાવી દીધી છે. જો આગામી બે દિવસમાં આ અંગે કોઈ નિર્ણય નહીં આવે તો કન્ટેનરમાં ડુંગળી સડી જવાથી વેપારીઓ અને ખેડૂતોને કરોડોનું નુકસાન થશે. ભારતમાંથી(India) દર મહિને લગભગ 2500 હજાર કન્ટેનર એશિયન દેશોમાં નિકાસ થાય છે. પરંતુ હવે કેન્દ્ર સરકારના તુઘલકી નિર્ણયને કારણે ડુંગળીની નિકાસને ભારે ફટકો પડશે તેમ વેપારીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Mumbai Local: મુંબઈકરોનું ટેન્શન થશે દૂર, મધ્ય રેલવે મુસાફરો માટે લઈને આવી રહી છે આ નવી સુવિધા… આ સ્ટેશનો પર થશે આ સુવિધાઓનો પ્રારંભ..

નાસિક પછી નવી મુંબઈમાં APMC માર્કેટ બંધ થશે?

ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદવામાં આવી હોવાથી ખેડૂતોને ભારે ફટકો પડશે. જેના કારણે નાશિકમાં ખેડૂતોએ ડુંગળી વેચવાનું બંધ કરી દીધું છે. નવી મુંબઈ એગ્રીકલ્ચર માર્કેટ ઈન્કમ કમિટી (APMC) માં ડુંગળી-બટાટા બજાર ખેડૂતોને ટેકો આપવા માટે બંધ કરવામાં આવે તેવી શક્યતા છે . જો વાશીમાં ડુંગળી અને બટાટા માર્કેટ બંધ રહેશે તો તેની અસર શહેરવાસીઓને થશે. ડુંગળીના ભાવ પહેલાથી જ નીચા છે અને નિકાસ ડ્યુટીમાં વધારો થવાથી સ્થાનિક બજારમાં ડુંગળીનો પ્રવાહ વધશે. જો આમ થાય તો હાલમાં 18 થી 22 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાતી ડુંગળી 10 રૂપિયાની અંદર આવી શકે છે. આથી કેન્દ્ર સરકારે નિકાસ ડ્યુટી દૂર કરવી જોઈએ તેવી ખેડૂતોની સાથે વેપારીઓની માંગ છે.

નાસિકમાં ખેડૂતો આક્રમક, 14 બજાર સમિતિઓમાં ડુંગળીની હરાજી અટકી

 નાશિક ડિસ્ટ્રિક્ટ ટ્રેડર્સ એસોસિએશને આજે જિલ્લાની 14 સમિતિઓ (Market Organisation) ની હરાજી બંધ કરી દીધી છે. કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી વધારીને 40 ટકા કરી દેતાં રાજ્યમાં ડુંગળીના ખેડૂતો અને વેપારીઓ આક્રમક બન્યા છે. જેના કારણે ભવિષ્યમાં રિટેલ માર્કેટમાં ડુંગળીના ભાવ ઘટે તેવી ભીતિ સેવાઈ રહી છે. તેથી કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં આજથી નાશિક જિલ્લાની 14 બજાર સમિતિઓ અચોક્કસ મુદ્દત માટે બંધ રાખવામાં આવી છે. લાસલગાંવ બજાર સમિતિ ખાતે નાસિક જિલ્લા ડુંગળી વેપારી સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 

Mukesh Ambani Net Worth।મુકેશ અંબાણી પાસેથી છીનવાયો એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિનો તાજ; નેટવર્થ ઘટતા અબજોપતિઓની યાદીમાં મોટો ઉલટફેર
New Economic Threat। સામાન્ય માણસનું બજેટ ખોરવાશે! પેટ્રોલડીઝલ બાદ હવે રસોડા પર મોંઘવારીનો ડબલ એટેક; શાકભાજીથી લઈને અનાજ બધું જ મોંઘું થવાના એંધાણ
West Asia Crisis| અમેરિકાઈરાન વિવાદ વચ્ચે આરબીઆઈનો મોટો નિર્ણય, વિદેશી હૂંડિયામણ વધારવા લીધું પગલું
Electric Two Wheeler Sales May 2026| પેટ્રોલના વધતા ભાવ વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી, મે મહિનાના આંકડાએ ચોંકાવ્યા
Exit mobile version