Site icon

કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં આપી આ છૂટછાટ; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ભારત હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને હજારો લોકો પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. તે જ સમયે એલઆઈસીએ ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટ સંબંધિત શરતોમાં થોડી રાહત આપવાની જાહેરાત કરી છે.

શુક્રવારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો હોસ્પિટલમાં મોત નીપજ્યું હોય તો તેવા મૃત્યુ દાવાને ઝડપથી આગળ વધારવા માટે હવે ડેથ સર્ટીફિકેટની જરૂર નથી. એલઆઈસીએ મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્યતા આપી છે. વૈકલ્પિક પ્રમાણપત્રમાં મૃત્યુના બીજા પુરાવા જેમ કે સરકાર / ઇએસઆઈ (કર્મચારી રાજ્ય વીમા) / સશસ્ત્ર દળ / કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જારી કરવામાં આવેલા અને એલઆઈસીના પ્રથમ વર્ગના અધિકારીઓ અથવા ૧૦ વર્ષથી સેવા આપી રહેલા વિકાસ અધિકારીઓ દ્વારા સહી કરવામાં આવેલા જેમાં હોસ્પિટલમાં મૃત્યુની સ્પષ્ટ તારીખ અને સમયનો ઉલ્લેખ કરતા મૃત્યુ પ્રમાણપત્ર શામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કોરોના ના મુદ્દે એકમેકને શું કહ્યું? જાણો અહીં…

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પુરાવાને અંતિમ સંસ્કારના પ્રમાણપત્ર સાથે અથવા સંબંધિત અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અધિકૃત ઓળખ રસીદ સાથે રજૂ કરવાનો રહેશે. અન્ય કેસોમાં અગાઉની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવું જરૂરી બનશે.

WhatsApp SIM Binding Rule: વોટ્સએપ યુઝર્સ પાસે માત્ર ૨૪ કલાક: ૧ માર્ચથી લાગુ થશે ‘સિમ બાઈન્ડિંગ’નો નિયમ; એકાઉન્ટ ચાલુ રાખવા આજે જ કરી લો આ ૩ કામ.
Sovereign Gold Bond Tax Change: ૧ એપ્રિલથી સોવરેન ગોલ્ડ બોન્ડ (SGB) પર ભરવો પડશે ટેક્સ, રોકાણ કરતા પહેલા જાણી લો નવા નિયમો.
India EU Free Trade Agreement 2026: ભારતીય વેપારીઓની લોટરી લાગી! યુરોપમાં ટેક્સ વગર માલ વેચવાની મળી છૂટ; ભારત-EU વચ્ચેની ડીલથી બદલાઈ જશે અર્થતંત્ર
Instant House Help Apps India: ગૃહિણીઓ માટે મોટી રાહત: એપ પરથી બુક કરો અને ૧૦ મિનિટમાં ઘરકામમાં મદદ મેળવો; શું માત્ર ₹૧૦૦ની આ સ્કીમ સફળ થશે?.
Exit mobile version