Site icon News Continuous Bureau | Mumbai

Adani Wilmarએ ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ 9 ટાઇપની પ્રાકૃતિક દાળ કરી લોન્ચ, જાણો વિગતો

અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ 9 વિવિધ પ્રકારના કઠોળ લોન્ચ કર્યા છે. આ કઠોળમાં અરહર દાળ, મૂંગ દાળ, ચણાની દાળ, મસૂર દાળ (આયાતી મસૂર મલકા), કાબુલી ચણા, રાજમા ચિત્રા, કાલા ચણા, સોના મૂંગ દાળ અને મસૂલ મલકા (દેશી)નો સમાવેશ થાય છે.

Adani Wilmar’s flagship Fortune Pulses rolls out 9 varieties of natural dal

Adani Wilmarએ ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ 9 ટાઇમની પ્રાકૃતિક દાળ કરી લોન્ચ, જાણો વિગતો

News Continuous Bureau | Mumbai

FMCG સેક્ટરની કંપની અદાણી વિલ્મરે તેની ફોર્ચ્યુન બ્રાન્ડ હેઠળ 9 વિવિધ પ્રકારના કુદરતી કઠોળ લોન્ચ કર્યા છે. આ કઠોળમાં અરહર દાળ, મૂંગ દાળ, ચણાની દાળ, મસૂર દાળ (આયાતી મસૂર મલકા), કાબુલી ચણા, રાજમા ચિત્રા, કાલા ચણા, સોના મૂંગ દાળ અને મસૂલ મલકા (દેશી)નો સમાવેશ થાય છે. આ બ્રાન્ડનો હેતુ ગ્રાહકોની પસંદગી મુજબ કઠોળની સંપૂર્ણ શ્રેણી શરૂ કરીને ભારતના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં મજબૂત પ્રાદેશિક હાજરી સ્થાપિત કરવાનો છે.

વિનીત વિશ્વમ્ભરન, એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ, માર્કેટિંગ એન્ડ સેલ્સ, અદાણી વિલ્મરએ જણાવ્યું હતું કે,

Join Our WhatsApp Channel

અમે પ્રાદેશિક પ્રાસંગિકતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને સ્થાનિક રુચિ સાથે મેળ ખાતા ઉત્પાદનો દ્વારા ફોર્ચ્યુન પર ગ્રાહકોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અમારા ખાદ્ય ઉત્પાદનોમાં ઉપભોક્તાનો વિશ્વાસ પુનઃપ્રાપ્ત કરવા અને ફોર્ચ્યુનના વ્યવસાયને ખાદ્ય તેલથી આગળ લઈ જવાની દિશામાં આ એક પગલું છે. અમારા ગ્રાહકોને વાજબી ભાવે પ્રીમિયમ ગુણવત્તા યુક્ત ખાદ્ય ઉત્પાદનો ઓફર કરીને ફોર્ચ્યુનને વિશ્વસનીય બ્રાન્ડ તરીકે સ્થાપિત કરવાનો અમારો હેતુ છે.”

કંપનીએ જણાવ્યું કે આ તમામ દાળના પેકેટ ગ્રાહકોને 500 ગ્રામ અને 1 કિલોગ્રામ ના પેકેટ માં ઉપલબ્ધ થશે. ભારતના ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં અગ્રણી કરિયાણાની દુકાનો ઉપરાંત, તેઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ વેચવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : કોલા માર્કેટમાં હરીફાઈ શરૂ, મુકેશ અંબાણીની Campa Cola લોન્ચ થતા આ કંપનીએ ઘટાડ્યા ભાવ…

અગાઉ, અદાણી વિલ્મરે આ મહિનાની શરૂઆતમાં ‘કોહિનૂર હૈદરાબાદી બિરયાની કિટ’ લોન્ચ કરી હતી જે તેના તૈયાર-ટુ-કુક સેગમેન્ટમાં વિસ્તરણના ભાગરૂપે હતી. કિટનો હેતુ બિરયાનીના શોખીનોને માત્ર 30 મિનિટમાં રેસ્ટોરન્ટની ગુણવત્તાયુક્ત બિરયાની તૈયાર કરવામાં મદદ કરવાનો છે.

દરમિયાન, અદાણી વિલ્મરનો શેર NSE પર 1.63% વધીને શુક્રવારે, 17 માર્ચે રૂ. 427.50 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં ઉચ્ચ વોલેટિલિટી વચ્ચે કંપનીના શેરમાં 0.54%નો ઘટાડો થયો છે. 

 

Overtime Pay Rules Parliament કામના કલાકો અને ઓવરટાઈમ વેતન પર સંસદમાં મોટું નિવેદન સરકારની સ્પષ્ટતાથી લાખો નોકરીયાતોમાં ખુશીની લહેર
Plastic Currency Notes India નોટો ફાટવાની ઝંઝટથી મળશે કાયમી છુટકારો, સરકારે આટલા અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી
Dalal Street IPO શેરબજારમાં રોનક, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૩૪ કંપનીઓ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવશે
Sugar Price Rise Ethanols Production મોંઘી ખાંડ એ બદલી નાખ્યો સરકારનો પ્લાન, હવે શેરડીમાંથી નહીં બને ઇથેનોલ! સરકાર ઉઠાવી શકે છે આ મોટું પગલું
Exit mobile version