દેશની આ સરકારી બેંક ખાનગીકરણ ના માર્ગે-. સરકાર બેંકનો 51થી વધુ હિસ્સો વેચી મારશે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર (Central Govt) એક પછી એક સરકારી ઉદ્યોમોનું(Government Enterprises) ખાનગીકરણ(Privatization) કરી રહી છે. હવે સરકાર IDBI બેંકમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો વેચવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

સરકાર અને લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન(Government and Life Insurance Corporation) ઓફ ઈન્ડિયા (LIC)ના અધિકારીઓ હિસ્સો વેચવાની યોજના પર વાતચીત કરી રહ્યા છે. બંને પક્ષો મળીને IDBI બેંકમાં 94 ટકા હિસ્સો ધરાવે છે. વેચાણ પછી પણ, બંને પક્ષો બેંકમાં થોડો હિસ્સો જાળવી શકે છે.

બ્લૂમબર્ગના (Bloomberg) અહેવાલ મુજબ ડીલની પ્રકૃતિ અંગે અંતિમ નિર્ણય મંત્રીઓની સમિતિ (Committee of Ministers) દ્વારા લેવામાં આવશે. સરકાર અને LIC સપ્ટેમ્બરના અંત સુધીમાં બેંકમાં ખરીદદારોના હિતનું મૂલ્યાંકન(Assessment of interest) કરશે. ગયા વર્ષે મે મહિનામાં, આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ(Cabinet Committee) IDBI બેંક ના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ (Strategic disinvestment) અને મેનેજમેન્ટ કંટ્રોલના ટ્રાન્સફર માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. આ માટે IDBI બેંક એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે. સરકાર આ બેંકમાં 45.48 ટકા હિસ્સો ધરાવે છે, જ્યારે LIC 49.24 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે નાણા મંત્રાલય(Finance Ministry) અને IDBI બેંકના અધિકારીઓએ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, LICએ તેના પર ટિપ્પણી કરી ન હતી.

છેલ્લા 12 મહિનામાં IDBI બેન્કના શેરમાં 6.3 ટકાનો વધારો થયો છે. આનાથી બેંકની માર્કેટ મૂડી વધીને રૂ. 427.7 અબજ થઈ ગઈ છે. બુધવાર, 24 ઓગસ્ટે, BSE પર દિવસના ટ્રેડિંગમાં બેન્કનો શેર લગભગ 5 ટકા વધીને રૂ. 41 થયો હતો. છેલ્લે 2.82 ટકાના વધારા સાથે રૂ. 40.10 પર બંધ રહ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  BSEએ નવી મુંબઈની એપીએમસી માર્કેટમાં ટિકર લોન્ચ કર્યું- ડ્રાયફ્રૂટ્સના વેપારીઓને થશે આ ફાયદો

સરકાર હાલમાં IDBI બેંકમાં તેનો ઓછામાં ઓછો કેટલોક હિસ્સો વેચવા સાથે IDBI બેંકનું સંચાલન નિયંત્રણ સોંપવાની પ્રક્રિયા માં છે. બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર, આરબીઆઈ રોકાણકારોને(આરબીઆઈ રોકાણકારો) 40 ટકાથી વધુ હિસ્સો ખરીદવાની મંજૂરી આપશે. સેન્ટ્રલ બેંકના(Central Bank) કાર્યક્ષેત્રમાં કાર્યરત કંપનીઓએ નિયત મર્યાદા કરતાં વધુ હિસ્સો ખરીદવા માટે પરવાનગી લેવી પડશે. તેના કાર્યક્ષેત્રની બહારની કંપનીઓ માત્ર 10-15 ટકા હિસ્સો ખરીદી શકે છે.

આ મર્યાદામાં છૂટછાટ સંભવિત ખરીદદારોની સંખ્યામાં વધારો કરી શકે છે. આ સરકારની ખાનગીકરણ યોજનાને વેગ આપી શકે છે. સરકારે આ વર્ષે રૂ. 65,000 કરોડનું ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય નક્કી કર્યું છે. તેમાંથી એક તૃતીયાંશ એલઆઈસી ના આઈપીઓ માંથી ઉભા થયા છે.
 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More