પાકિસ્તાનમાં આવેલા મહાપૂરનો ભારતને થયો આ ફાયદો- ખેડૂતોની આવકમાં થશે વધારો

by Dr. Mayur Parikh

 News Continuous Bureau | Mumbai

આ વખતે કપાસનું ઉત્પાદન(Cotton production) કરનારા ખેડૂતો(Farmers) પર ગણપતિ બાપ્પાની(Ganapati Bappa) કૃપા જણાઈ રહી છે. આ વર્ષે ખરીદીના મુહર્ત(Moment of purchase)  સમયે કપાસના ભાવ(Cotton prices) પ્રતિ ક્વિન્ટલ 11 હજાર 153 રૂપિયા મળ્યા હતા. ભારતના પડોશી દેશોમાં આવેલા મહાપૂરની અસરને(Effect of flood) કારણે ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક બજારમાં(Global market) કપાસના ભાવ સોનાને આંબી ગયા છે. રસપ્રદ વાત એ છે કે ગયા વર્ષે ઓપન માર્કેટમાં સૌથી વધુ 11,000નો ભાવ મળ્યો હતો.

મિડિયાના અહેવાલ મુજબ ઉત્પાદનમાં ઘટાડો થતાં વૈશ્વિક માંગમાં વધારો થયો છે. તેમાં ગત વર્ષે પાકિસ્તાન(Pakistan), બાંગ્લાદેશ(Bangladesh) અને ચીનમાં(China) પૂરના કારણે કપાસને ભારે નુકસાન થયું હતું. આથી ભારતીય કપાસની માંગ (Indian Cotton Demand) ભારે હતી. આ વર્ષે પણ આવી જ સ્થિતિના કારણે કપાસની માંગ છે. આથી કપાસની માંગ વધતી રહેશે.

આ સમાચાર પણ વાંચો : યુક્રેન સામે છેડેલા યુદ્ધની અસર- પુતિનની નજીકના લોકોને કરાઈ રહ્યા છે ટાર્ગેટ- આ નજીકના વ્યક્તિનું થયું મોત

મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં(Jalgaon District) કપાસનું વાવેતર વધ્યું છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે કપાસનું વાવેતર વધ્યું છે. જેથી ખેડૂતોને પણ ફાયદો થશે. ગત વર્ષે જિલ્લામાં ચાર લાખ 75 હજાર હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર થયું હતું. આ વર્ષે તેમાં લગભગ 75 હજારનો વધારો થયો છે અને તે પાંચ લાખ 42 હજાર હેક્ટર સુધી પહોંચી ગયો છે.
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment