જે લોકો દિવાળી પર સોનામાં નાણાં રોકે છે -રોકાણકારોને એક વર્ષમાં બમ્પર નફો મળે છે

by Dr. Mayur Parikh
gold rate to hike by 10 to 12 thousand in 2023

News Continuous Bureau | Mumbai

ધનતેરસ અને દિવાળીનો તહેવાર(Festival of Dhanteras and Diwali) આવવાનો છે. આ અવસર પર સોના-ચાંદીની ખરીદી(Purchase of gold and silver) શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ઉપયોગ માટે સોનું અથવા ચાંદી ખરીદે છે, જ્યારે કેટલાક લોકો એવા છે જે રોકાણ (investment) માટે ખરીદે છે. ગયા વર્ષે દિવાળીના અવસર પર રોકાણ માટે સોનું ખરીદનારાઓને યોગ્ય વળતર મળ્યું હતું.

રોકાણકારોને એક વર્ષમાં બમ્પર નફો : 

કેડિયા એડવાઇઝરી(Kedia advisory) મુજબ, જે લોકોએ ગત દિવાળીના અવસર પર સોનું ખરીદ્યું છે, તેઓ આજની તારીખે પ્રતિ દસ ગ્રામ રૂ. 2850થી વધુના નફામાં છે. આંકડા દર્શાવે છે કે ગયા વર્ષે દિવાળીનો તહેવાર 4 નવેમ્બર 2021ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે સોનાનો ભાવ(Gold price) 47,553 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતો. તે જ સમયે, 18 ઓક્ટોબર 2022 ના રોજ, સોનું 50,414 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે.

આ સમાચાર પણ વાંચો:  જો તમે ધનતેરસ પર સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો- તો પહેલા અસલી અને નકલીની આ રીતે કરો ઓળખ

અત્યાર સુધીમાં, રોકાણકારોને એક વર્ષથી ઓછા સમયમાં 2861 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અથવા 6 ટકાથી વધુ વળતર મળ્યું છે. જો કે આ વર્ષે દિવાળીનો તહેવાર 24 ઓક્ટોબરે છે. આવી સ્થિતિમાં દિવાળીના દિવસ સુધી ભાવમાં વધઘટ શક્ય છે.

કેડિયા એડવાઇઝરીના ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ચાંદી પર સટ્ટો લગાવનારા રોકાણકારોએ 12 ટકાથી વધુ નુકસાન કર્યું છે. ગયા વર્ષે ચાંદીની કિંમત 64 હજાર રૂપિયાથી વધુ હતી જે હવે ઘટીને 56 હજાર રૂપિયા થઈ ગઈ છે. રોકાણકારોને કુલ રૂ. 7766 પ્રતિ કિલોની ખોટ છે..

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More