GST Recovery : રાહતના સમાચાર, GST લેણાંની વસૂલાત માટે નવી જોગવાઈઓ; જાણો કેવી રીતે કરદાતાઓ આ પ્રક્રિયાને ટાળી શકે છે?

GST Recovery: સેન્ટ્રલ બોર્ડ ઑફ ઇનડાયરેક્ટ ટેક્સિસ (CBIC) એ GST લેણાંની વસૂલાત માટે નવી જોગવાઈઓ જારી કરી છે, જે કરદાતાઓ માટે રાહતના સમાચાર લાવ્યા છે. માહિતી અનુસાર, જ્યાં સુધી GST એપેલેટ ટ્રિબ્યુનલ (GSTAT) સંપૂર્ણ રીતે કાર્યરત ન થઈ જાય ત્યાં સુધી આ જોગવાઈઓ અમલમાં રહેશે

by Bipin Mewada
GST Recovery News of relief, new provisions for recovery of GST dues; Know how taxpayers can avoid this process

 News Continuous Bureau | Mumbai

GST Recovery: સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ ( CBIC )એ જીએસટીની બાકી રકમની વસૂલાત માટે હવે નવી જોગવાઈઓ જારી કરી છે. જી.એસ.ટી. એપેલેટ ટ્રિબ્યુનલ કાર્યરત ન થાય ત્યાં સુધી આ જોગવાઈઓ અમલમાં છે. નવી જોગવાઈઓ જારી કરવાથી કરદાતાઓને હવે આ અનુકૂળ રહેશે..

સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી)એ જીએસટી લેણાં  માટે નવી જોગવાઈઓને લઈને ગુરુવારે એક સર્ક્યુલર જાહેર કર્યો છે. પરિપત્રમાં જણાવ્યા મુજબ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ( GSTAT  ) ( gst appellate tribunal ) કાર્યરત નહીં થાય ત્યાં સુધી આ જોગવાઈઓ કામ કરશે. હાલમાં કરદાતાઓ ટેક્સ રિકવરીની પ્રક્રિયા ટાળવા માટે તેમના ઇલેક્ટ્રોનિક લાયબિલિટી રજિસ્ટર દ્વારા પ્રી-ડિપોઝિટની રકમ ચૂકવી શકે છે અને અધિકારક્ષેત્ર અનુસાર યોગ્ય ઓથોરિટી પાસે બાંહેધરી ફાઇલ કરી શકે છે.

GST Recovery: કરદાતાઓ આ નવી સુવિધા હેઠળ ચૂકવણી કરી શકશે.

ટ્રિબ્યુનલ કાર્યરત થાય ત્યાં સુધી કરદાતાને ( taxpayer ) બિનજરૂરી વસૂલાત પ્રક્રિયાથી બચાવવા માટે સીબીઆઈસીએ આ પરિપત્ર જારી કર્યો છે. પરિપત્ર મુજબ, GST ( GST Tax ) ના કોમન પોર્ટલ પર ફોર્મ GST DRC-03 દ્વારા ચુકવણીને સમાયોજિત કરવાની નવી સિસ્ટમ રજૂ કરવામાં આવી છે, જે પૂર્વ-થાપણ આવશ્યકતાઓ માટે છે.

આ સમાચાર પણ વાંચો :  Zarukho: બોરીવલીમાં યોજાયો ગોષ્ઠિ કાર્યક્રમ, ‘ઝરૂખો’માં આ બે નવલકથાઓ વિશે રસપ્રદ થઈ ચર્ચા..

કરદાતાઓ આ નવી સુવિધા હેઠળ ચૂકવણી કરી શકશે. તે પછી તેઓ સંબંધિત અધિકારીને ચુકવણીની માહિતી આપી શકે છે, જે રિકવરી પ્રક્રિયામાં વિલંબ કરશે. કરદાતાએ બાંયધરીપત્રમાં એ પણ જણાવવાનું રહેશે કે તે સંબંધિત બાકી હુકમ સામે એપેલેટ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરશે. GSTAT કાર્યરત થતાંની સાથે જ CGST એક્ટની કલમ 112 માં નિર્દિષ્ટ સમયની અંદર અપીલ દાખલ કરવામાં આવશે.

જૂન મહિનાની શરૂઆતમાં,કરદાતાઓને રાહત આપતી વખતે, સીબીઆઈસીએ કહ્યું હતું કે ટેક્સ સત્તાવાળાઓ ડિમાન્ડ ઓર્ડર પૂરા કરવાના ત્રણ મહિનાના સમય પહેલાં વસૂલાત પ્રક્રિયા શરૂ કરી શકતા નથી. ત્યારે સીબીઆઈસીએ કહ્યું હતું કે જો કરદાતા ડિમાન્ડ ઓર્ડર પૂરા કર્યાના ત્રણ મહિના પછી પણ બાકી રકમ ચૂકવતા નથી, તો ટેક્સ અધિકારી તે પછી જ વસૂલાત પ્રક્રિયા શરૂ કરી શકે છે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More