Site icon

કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં આપી આ છૂટછાટ; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૦૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

ભારત હાલમાં કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે અને હજારો લોકો પોતાના પ્રાણ ગુમાવી રહ્યા છે. તે જ સમયે એલઆઈસીએ ગ્રાહકોની સલામતીને ધ્યાનમાં રાખીને દાવાની પતાવટ સંબંધિત શરતોમાં થોડી રાહત આપવાની જાહેરાત કરી છે.

શુક્રવારે કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે જો હોસ્પિટલમાં મોત નીપજ્યું હોય તો તેવા મૃત્યુ દાવાને ઝડપથી આગળ વધારવા માટે હવે ડેથ સર્ટીફિકેટની જરૂર નથી. એલઆઈસીએ મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્યતા આપી છે. વૈકલ્પિક પ્રમાણપત્રમાં મૃત્યુના બીજા પુરાવા જેમ કે સરકાર / ઇએસઆઈ (કર્મચારી રાજ્ય વીમા) / સશસ્ત્ર દળ / કોર્પોરેટ હોસ્પિટલો દ્વારા જારી કરવામાં આવેલા અને એલઆઈસીના પ્રથમ વર્ગના અધિકારીઓ અથવા ૧૦ વર્ષથી સેવા આપી રહેલા વિકાસ અધિકારીઓ દ્વારા સહી કરવામાં આવેલા જેમાં હોસ્પિટલમાં મૃત્યુની સ્પષ્ટ તારીખ અને સમયનો ઉલ્લેખ કરતા મૃત્યુ પ્રમાણપત્ર શામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર ચર્ચા થઈ. કોરોના ના મુદ્દે એકમેકને શું કહ્યું? જાણો અહીં…

ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત પુરાવાને અંતિમ સંસ્કારના પ્રમાણપત્ર સાથે અથવા સંબંધિત અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અધિકૃત ઓળખ રસીદ સાથે રજૂ કરવાનો રહેશે. અન્ય કેસોમાં અગાઉની જેમ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી મૃત્યુનું પ્રમાણપત્ર આપવું જરૂરી બનશે.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version