Site icon

RBI Rupee Account: ભારત તરફથી ડી-ડોલરાઇઝેશનની દિશામાં મોટું પગલું, જાણો RBIના નવા નિયમ વિશે

RBIના નવા નિયમથી ભારતીય રૂપિયો સ્થાનિક ચલણથી ટ્રેડ કરન્સી અને રિઝર્વ કરન્સી બનવાની દિશામાં આગળ વધશે

ભારતનું મોટું પગલું RBIના નવા ડી-ડોલરાઇઝેશન નિયમ

ભારતનું મોટું પગલું RBIના નવા ડી-ડોલરાઇઝેશન નિયમ

News Continuous Bureau | Mumbai
એક સોશિયલ મીડિયા યુઝરે એક મહત્વપૂર્ણ માહિતી શેર કરી કે RBI (Reserve Bank of India) હવે ભારતીય બેંકોને વિદેશી રૂપી ખાતા તરત ખોલવાની મંજૂરી આપશે એ પણ અપ્રુવલ વગર અને વિલંબ વગર. આ પગલું માત્ર બેંકિંગ સુધારો નથી, પણ ભારતના ચલણ રૂપિયાને વૈશ્વિક સ્તરે ટ્રેડ અને રિઝર્વ કરન્સી બનાવવાની દિશામાં એક મોટું પગલું છે.

ડોલર પર આધાર ઘટાડવાનો પ્રયાસ

આ પગલાંથી ભારત ડી-ડોલરાઇઝેશન (De-dollarisation) તરફ આગળ વધી રહ્યું છે. હવે વેપાર માટે ડોલર નહીં પણ રૂપિયો પણ ઉપયોગમાં લેવાશે. આથી ભારતના વેપાર ભાગીદારો માટે રૂપિયામાં ટ્રાન્ઝેક્શન સરળ બનશે અને ડોલર પર આધાર ઘટશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : India’s Agni-5 Missile Test: ભારતનું અગ્નિ-5 મિસાઇલ પરીક્ષણ: વિશ્વ માટે એક વ્યૂહાત્મક સંદેશ, જાણો આના પર પાકિસ્તાન ની શું છે પ્રતિક્રિયા

વિશ્વભરમાં રૂપિયાની સ્થિતિ મજબૂત બનશે

આ પગલાંથી ભારતીય ચલણની વૈશ્વિક માન્યતા વધશે. જો ભારત આ દિશામાં સતત આગળ વધે, તો રૂપિયો માત્ર સ્થાનિક ચલણ નહીં, પણ ટ્રેડ કરન્સી અને ભવિષ્યમાં રિઝર્વ કરન્સી (Reserve Currency) બની શકે છે — જેમ કે ડોલર, યુરો અને યેન.

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version