Site icon News Continuous Bureau | Mumbai

LIC : લાખો LIC કર્મચારીઓ અને એજન્ટો માટે સારા સમાચાર, ગ્રેચ્યુઈટીથી લઈને ઈન્સ્યોરન્સ અને પેન્શન પર સરકારે લીધો આ મોટો નિર્ણય..

LIC : આજે નાણા મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના કર્મચારીઓ અને LIC એજન્ટો માટે આવા કેટલાક લાભોને મંજૂરી આપી છે જેની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

LIC Hike in gratuity limit, term insurance cover, Centre approves measures for LIC agents, employees

LIC Hike in gratuity limit, term insurance cover, Centre approves measures for LIC agents, employees

News Continuous Bureau | Mumbai

LIC : જો તમે LIC એજન્ટ અથવા LIC કર્મચારી છો તો તમારા માટે સારા સમાચાર છે. આજે નાણા મંત્રાલયે ભારતીય જીવન વીમા નિગમ (LIC) કર્મચારીઓ અને LIC એજન્ટો (LIC Agent) માટે કેટલાક લાભોને મંજૂરી આપી છે. આ હેઠળ, નાણા મંત્રાલયે (Finance Ministry ) તેમના માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા, તેમની નવીનીકરણીય કમિશન પાત્રતા, ટર્મ ઇન્શ્યોરન્સ કવર અને ફેમિલી પેન્શન (Family Pension) માટે એક સમાન દરને મંજૂરી આપી છે.

Join Our WhatsApp Channel

આજે જાણો નાણા મંત્રાલય દ્વારા આ કલ્યાણકારી નિર્ણયોને મંજૂરી આપવામાં આવી છે-

એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઈટીની મર્યાદા રૂ. 3 લાખથી વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે અને તેના દ્વારા તેમની કામ કરવાની સ્થિતિમાં સુધારો થશે અને એલઆઈસી એજન્ટોને ફાયદો થશે.

-નાણા મંત્રાલયે પુનઃનિયુક્તિ પછી આવતા એલઆઈસી એજન્ટોને રિન્યુઅલ કમિશન માટે લાયક બનાવવાની મંજૂરી આપી છે, જેના દ્વારા તેમને નાણાકીય સ્થિરતામાં વધારો થશે. હાલમાં, LIC એજન્ટો કોઈપણ જૂની એજન્સી હેઠળ પૂર્ણ થયેલા કોઈપણ વ્યવસાય માટે નવીકરણ કમિશન માટે પાત્ર નથી.

આ સમાચાર પણ વાંચો : PM Modi in Parliament : સંસદનું વિશેષ સત્ર, નેહરુ-આંબેડકરથી લઈને ઈમરજન્સીનો ઉલ્લેખ.. લોકસભામાં PM મોદી થયા ભાવુક

આજે નાણા મંત્રાલયે X- પર એક પોસ્ટ દ્વારા આ વિશે સત્તાવાર માહિતી પણ આપી છે.

 

એલઆઈસી એજન્ટો માટે ટર્મ ઈન્સ્યોરન્સ કવર વધારવામાં આવ્યું છે અને તેની રેન્જ 3000-10,000 રૂપિયાથી વધારીને 25,000-1,50,000 રૂપિયા કરવામાં આવી છે. ટર્મ ઈન્સ્યોરન્સની રકમમાં વધારો કરીને, મૃત્યુ પામનાર એલઆઈસી એજન્ટોના પરિવારોને આર્થિક સહાય મળી શકશે, જેનાથી તેઓ વધુ કલ્યાણકારી લાભો મેળવી શકશે.

-એલઆઈસી કર્મચારીઓના કલ્યાણ માટે તેઓ 30 ટકાના સમાન દરે ફેમિલી પેન્શનનો લાભ મેળવી શકશે.

13 લાખથી વધુ LIC એજન્ટોને ફાયદો થશે

આ કલ્યાણકારી પગલાં 13 લાખથી વધુ એલઆઈસી એજન્ટો અને 1 લાખથી વધુ નિયમિત કર્મચારીઓને લાભ કરશે જેઓ એલઆઈસીના વિકાસમાં અને ભારતમાં વીમાના પ્રવેશને વધુ ગાઢ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

Foreign Assets Disclosure Scheme બ્લેક મની પર સરકારની નજર વિદેશી અસ્કયામતો માટે 1 આ તારીખ થી ખુલશે ખાસ ‘ડિસ્ક્લોઝર વિન્ડો’
Minting Coins in India ભારતમાં સિક્કાઓનું ઉત્પાદન કઈ જગ્યાએ બને છે સિક્કા અને કેવી રીતે ઓળખવા ટંકશાળનું નિશાન? જાણો
Rupee Strengthens Against Dollar ડોલર સામે રૂપિયો થયો મજબૂત રૂપિયાનું મૂલ્ય 94.85 ના સ્તરે પહોંચ્યું
Ethanol Fuel Revolution ભારતની ઊર્જા ક્ષેત્રે મોટી ક્રાંતિ 100 ટકા ઇથેનોલ આધારિત ઇંધણના ઉપયોગને મળી મંજૂરી; કૃષિ અર્થતંત્રને મળશે નવું બળ
Exit mobile version