News Continuous Bureau | Mumbai
Muhurat trading 2024: નવ વર્ષના પહેલા દિવસે જ્યારે રજા નો માહોલ છે ત્યારે શેર બજારમાં મુહૂર્તનું ટ્રેડિંગ થવાનું છે. મુહૂર્તનું ટ્રેડિંગ એટલે માત્ર અમુક સમય સુધી થનારું ટ્રેડિંગ જેમાં શેર બજાર સામાન્ય રીતે છ કલાક ચાલતું હોય છે તેના સ્થાને એક કલાક ચાલે.
આ સમાચાર પણ વાંચો: Share Market Crash: ભારતીય શેરબજાર દિવાળી પહેલાં થયું કડકભૂસ,સેન્સેક્સ-નિફ્ટી જોરદાર કડાકા સાથે થયા બંધ; રોકાણકારોને આ શેરોએ રાતા પાણીએ રોવડાવ્યા.
મુહૂર્ત ના સોદા નો સમય
ચાલુ વર્ષે શુભ મુહૂર્ત પ્રમાણે શેર બજાર સાંજે 6:00 વાગ્યાથી સાત વાગ્યાની વચ્ચે એટલે કે એક કલાક સુધી શેર બજારમાં મુહૂર્તના સોદા ચાલુ રહેશે. મુરતના સોદા દરમિયાન લોકો ટ્રેડિંગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે મુંબઈ સ્ટોક એક્સચેન્જની બહાર મુહૂર્તના સોદા પછી મોટા પાયે ફટાકડા ફોડવામાં આવે છે. લોકો લક્ષ્મી પૂજન કરે છે દાન પુણ્ય કરે છે અને મીઠાઈ વહેંચે છે. આજના દિવસે શેરબજારનો માહોલ જોવા જેવો હોય છે. ખાસ કરીને લોકોની નજર સેન્સર અને ઇન્ડેક્સ પર રહેલી હોય છે જ્યાં બજાર વધે છે કે ઘટે છે તેને લોકો શુભ કે અશુભ માને છે..