RBI Action:RBIની ‘આ’ બેંક સામે મોટી કાર્યવાહી.. આ બેંકનું લાઇસન્સ કર્યું રદ, સામાન્ય ગ્રાહકો પર શું થશે અસર? જાણો…

RBI Action: કો-ઓપરેટિવ બેંકની બેંકિંગ કામગીરી 19 જૂન, 2024થી બંધ કરી દેવામાં આવી છે. ગ્રાહકો વિશે વાત કરીએ તો, થાપણદાર માત્ર રૂ. 5 લાખની મર્યાદા સુધી ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન (DICGC) પાસેથી વીમો મેળવવા માટે હકદાર હશે.

by kalpana Verat
RBI Action RBI cancels licence of Mumbai-based The City Co-operative Bank

 News Continuous Bureau | Mumbai

RBI Action: ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશની તમામ સરકારી ખાનગી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પર ચાંપતી નજર રાખે  છે. જો દેશની કોઈપણ બેંક નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો કેન્દ્રીય બેન્ક કાયદા મુજબ કાર્યવાહી કરે છે.  આ જ ક્રમમાં સેન્ટ્રલ રિઝર્વ બેંક (RBI) એ ધ સિટી કો-ઓપરેટિવ બેંક, મહારાષ્ટ્રનું લાઇસન્સ રદ કર્યું છે. RBIના નિવેદન અનુસાર, આ નિર્ણય પર્યાપ્ત મૂડી અને કમાણીની સંભાવનાના અભાવે લેવામાં આવ્યો છે. આ સાથે આરબીઆઈએ મહારાષ્ટ્રના સહકારી કમિશનર અને કોઓપરેટિવ સોસાયટીઝના રજિસ્ટ્રારને પણ બેંક બંધ કરવાનો આદેશ આપ્યો છે. સાથે જ લિક્વિડેટરની નિમણૂક કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.

RBI Action: 19 જૂનથી સહકારી બેંક બંધ

 સેન્ટ્રલ બેંક ના જણાવ્યા અનુસાર, સહકારી બેંકની બેંકિંગ કામગીરી 19 જૂન, 2024 થી બંધ કરવામાં આવી છે. આમાં, ગ્રાહકો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન પાસેથી માત્ર 5 લાખ રૂપિયાની મર્યાદા સુધીનો વીમો મેળવી શકે છે. આરબીઆઈનું કહેવું છે કે બેંક દ્વારા આપવામાં આવેલા ડેટા અનુસાર, લગભગ 87% થાપણદારો તેમની ડિપોઝિટની સંપૂર્ણ રકમReservations in Bihar: નીતિશ કુમારને મોટો ઝટકો, સરકારના આ નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કર્યો.. DICGC પાસેથી મેળવી શકે છે.

આ સમાચાર  પણ વાંચો :

RBI Action: DICGCએ રૂ. 231 કરોડ ચૂકવ્યા હતા

DICGC 14 જૂન પહેલા રૂ. 230.99 કરોડની ચુકવણી કરી ચૂકી છે. આરબીઆઈએ જણાવ્યું હતું કે મુંબઈ સ્થિત કો-ઓપરેટિવ બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની અપેક્ષાઓ નથી. બેંકની ખરાબ હાલતને કારણે તે પેમેન્ટ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં જો બેંકને આગળ કામ કરવાની મંજૂરી આપવામાં આવે તો તેના ગ્રાહકોને અસર થઈ શકે છે.

RBI Action: અગાઉ આ  બેંકનું લાઇસન્સ રદ 

આ પહેલા આરબીઆઈએ ઉત્તર પ્રદેશના ગાઝીપુરની પૂર્વાંચલ કો-ઓપરેટિવ બેંકનું લાઇસન્સ રદ કર્યું હતું આરબીઆઈએ આ કાર્યવાહી પર કહ્યું કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીનો સ્ત્રોત નથી. બેંકનું કહેવું છે કે 99.51% થાપણદારો તેમની સંપૂર્ણ થાપણ રકમ DICGC પાસેથી મેળવી શકે છે.

 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More