Site icon News Continuous Bureau | Mumbai

Reliance AGM 2023: Reliance બોર્ડમાં ધરખમ ફેરફાર…મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી જવાબદારી, જાણો કોને કયો હોદ્દો મળ્યો.. વાંચો વિગતવાર અહીં

Reliance AGM 2023: બજાર મૂલ્યની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી કંપની, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીના ત્રણ બાળકો - ઈશા, આકાશ અને અનંતને બોર્ડમાં નિયુક્ત કર્યા છે, જે સૂચવે છે કે તેઓ આખરે ઓઈલ-ટુ-ટેલિકોમ સમૂહનું સુકાન સંભાળશે.

Reliance AGM 2023: Ambani succession plan picks up pace, children appointed to RIL board

Reliance AGM 2023: Reliance બોર્ડમાં ધરખમ ફેરફાર…મુકેશ અંબાણીએ નવી પેઢીને સોંપી જવાબદારી, જાણો કોને કયો હોદ્દો મળ્યો.. વાંચો વિગતવાર અહીં

News Continuous Bureau | Mumbai

Reliance AGM 2023: માર્કેટ કેપિટલાઇઝેશનની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની Reliance Industries સોમવારે, 28 ઓગસ્ટ, 2023ના રોજ 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આયોજન કર્યું હતું. Reliance Industriesના ચેરમેન મુકેશ અંબાણી(Mukesh Ambani)એ શેરધારકોને સંબોધિત કર્યા છે. તેમણે નવી પેઢીને કંપનીનું સુકાન સોંપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. આ બોર્ડમાં આકાશ, અનંત અને ઈશા અંબાણીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી દીધી છે. તે જ સમયે નીતા અંબાણી(Nita Ambani) બોર્ડમાંથી બહાર છે. જોકે, નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે.

Join Our WhatsApp Channel

આ દરમિયાન તેમણે છેલ્લા એક વર્ષમાં કંપની દ્વારા લેવામાં આવેલા જરૂરી પગલાં અને આગામી સમયમાં કંપનીની વધુ યોજનાઓ વિશે માહિતી આપી હતી. 46મી વાર્ષિક સામાન્ય બેઠક પહેલા કંપનીએ બોર્ડ મીટિંગમાં અત્યંત મોટો નિર્ણય લીધો છે. મુકેશ અંબાણીએ તેમની નવી પેઢીને કંપનીની જવાબદારી સોંપી છે. કંપનીએ આ બોર્ડ મીટિંગમાં લીધેલા નિર્ણય વિશે એક્સચેન્જોને પણ જાણ કરી છે.

 RIL ના બોર્ડમાં શું ફેરફારો થયા છે?

46મી એજીએમમાં કંપનીએ બોર્ડમાં મોટા ફેરફારોની જાહેરાત કરતાં કહ્યું કે આજે બોર્ડ મીટિંગમાં આ ફેરફારને મંજૂરી આપવામાં આવી છે. બોર્ડમાં થયેલા આ ફેરફાર અંગે કંપનીએ એક્સચેન્જોને જણાવ્યું કે આકાશ અંબાણી, અનંત અંબાણી અને ઈશા અંબાણીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના બોર્ડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે બોર્ડે નીતા અંબાણીના રાજીનામાનો પણ સ્વીકાર કરી લીધો છે. નીતા અંબાણીએ રિલાયન્સ ફાઉન્ડેશનને વધુ સમય આપવા માટે RILના બોર્ડમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.

કંપનીના શેરને શું અસર થઈ?

આ દરમિયાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં ઘટાડો થયો છે. કંપનીનો શેર મામૂલી ઘટાડા સાથે રૂ. 2,462.20 પર ટ્રેડ કરી રહ્યો છે. અહીં Jio Financeના શેરમાં થોડો વધારો થયો છે અને કંપનીનો શેર રૂ.216 પર ટ્રેડ થઈ રહ્યો છે. માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આ 46મી વાર્ષિક સામાન્ય સભા (AGM) છે.

આ સમાચાર પણ વાંચો : Reliance AGM : મોબાઈલ ડેટા, રીટેલ સેક્ટર અને ફાઇનાન્સ સેક્ટરમાં ધૂમ મચાવ્યા બાદ, હવે રિલાયન્સ આ ક્ષેત્રમાં મચાવશે ગદર… જાણો આ યોજનાથી સામાન્ય લોકોને શું મળશે ફાયદો..

RILએ શું કહ્યું

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શેરબજારને આપેલી નોટિસમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલાં મળી હતી. તેણે ઈશા, આકાશ અને અનંતની નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમણૂકને મંજૂરી આપી. ગયા વર્ષે 66 વર્ષીય દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ તેમના મોટા પુત્ર આકાશ અંબાણીને દેશની સૌથી મોટી મોબાઈલ કંપની Reliance Jio Infocomm Ltd.ના અધ્યક્ષ બનાવવાનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. જો કે, અંબાણી Jio પ્લેટફોર્મના ચેરમેન તરીકે ચાલુ રહ્યા. રિલાયન્સ જિયો ઈન્ફોકોમ એના હેઠળ આવે છે. આકાશની જોડિયા બહેન ઈશા(31) રિલાયન્સના રિટેલ યુનિટ માટે અને નાના પુત્ર અનંતને ન્યુ એનર્જી બિઝનેસ માટે પસંદ કરવામાં આવ્યો છે.

10 વર્ષમાં 150 અબજ ડોલરનું રોકાણ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ છેલ્લા 10 વર્ષમાં કુલ 150 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ સમયગાળા દરમિયાન કોઈપણ કંપનીનું આ સૌથી વધુ રોકાણ છે. કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ઉભરતા નવા ભારતમાં અગ્રેસર છે. અમે એવા લક્ષ્યો નક્કી કર્યા જે અશક્ય લાગતા હતા અને તેમને હાંસલ કર્યા હતા.

 

Overtime Pay Rules Parliament કામના કલાકો અને ઓવરટાઈમ વેતન પર સંસદમાં મોટું નિવેદન સરકારની સ્પષ્ટતાથી લાખો નોકરીયાતોમાં ખુશીની લહેર
Plastic Currency Notes India નોટો ફાટવાની ઝંઝટથી મળશે કાયમી છુટકારો, સરકારે આટલા અબજ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલને મળી મંજૂરી
Dalal Street IPO શેરબજારમાં રોનક, ૩૦ સપ્ટેમ્બર સુધીમાં ૩૪ કંપનીઓ ૪૫,૦૦૦ કરોડ રૂપિયા ઉઘરાવશે
Sugar Price Rise Ethanols Production મોંઘી ખાંડ એ બદલી નાખ્યો સરકારનો પ્લાન, હવે શેરડીમાંથી નહીં બને ઇથેનોલ! સરકાર ઉઠાવી શકે છે આ મોટું પગલું
Exit mobile version