SBI Mumbai : મુંબઈમાં સ્ટેટ બેંકનો ‘તાલિબાન’ નિર્ણય, અમુક શાખાઓમાં રવિવાર ની જગ્યાએ શુક્રવારે  અઠવાડિક રજા.  હવે થયો હંગામો.

મુસ્લિમ ખાતેદારોને આકર્ષિત કરવા માટે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ મુંબઈની અમુક શાખાઓમાં રવિવાર ની જગ્યાએ શુક્રવારે રજાની જાહેરાત કરી. 

by kalpana Verat
Controversy after SBI branch changes weekly off to Friday

News Continuous Bureau | Mumbai

મુંબઈ માં ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ની (SBI) કેટલીક શાખાઓએ નિર્ણય લીધો હતો કે ‘સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા’ 1લી ડિસેમ્બર 2022થી રવિવારને બદલે દર શુક્રવારે બંધ રહેશે. આ નિર્ણયનો હિન્દુ જનજાગૃતિ સમિતિ સહિત વિવિધ હિન્દુ સંગઠનો અને જાગૃત નાગરિકોએ વિરોધ કર્યો હતો. આ સંદર્ભે હિંદુ જનજાગૃતિ સમિતિના પ્રતિનિધિ મંડળે ગોવંડી શાખા, દાદર શાખા અને નરીમાન પોઈન્ટ ખાતેની મુખ્ય શાખામાં નિવેદન આપ્યું હતું અને આ નિર્ણયને પાછો ખેંચવાની માંગ કરી હતી. તદનુસાર, બેંકે જાહેરાત કરી કે તેણે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ નિર્ણય પાછો ખેંચી લીધો છે.

ચોક્કસ સમાજના ઝોકને માપવાનો પ્રયાસ

આ નિર્ણયનો વિરોધ કરવા પાછળ હિન્દુ સંગઠનો એ તર્ક આપ્યો કે. સરકાર દ્વારા નિયંત્રિત બેંકોમાં કોઈ ચોક્કસ ધર્મની તરફેણ કરવાનો નિર્ણય કરવો એ અન્ય ધર્મોને અન્યાય કરવા સમાન છે. સમિતિ દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે રજા જાહેર કરવામાં આવી રહી છે, અમે પાકિસ્તાનમાં રહીએ છીએ કે ભારતમાં?’, ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ની કેટલીક શાખાઓની રજા બદલવાનું સાચું કારણ શું છે? ‘? તેવા પ્રશ્નો સમિતિ દ્વારા બેંકને પૂછવામાં આવ્યા હતા. હવે સમિતિએ માંગ કરી છે કે કેન્દ્ર સરકાર આ મામલાની સંપૂર્ણ તપાસ કરે અને આવા નિર્ણય લેનારાઓ સામે કડક કાર્યવાહી કરે.

આ સમાચાર પણ વાંચો : Urfi Javed Naked: ન બ્રા, ન શર્ટ, ન શરમ અને ન ચહેરા પર માસ્ક, માત્ર પેન્ટ પહેરીને પેઇન્ટિંગ શરૂ કર્યું!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More