SEBI-Sahara fund: સુબ્રતો રોયનુ નિધન, સરકારની તિજારીમાં 25 હજાર કરોડ… હવે રોકાણકારોનું શું? જાણો વિગતે..

SEBI-Sahara fund: સહારાના વડા સુબ્રત રોયનું ગત સપ્તાહે નિધન થયું હતું.જે બાદ ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યો કે લાખો રોકાણકારોના પૈસાનું શું થશે? મળશે કે ડૂબી જશે.અહેવાલો અનુસાર, સહારા-સેબીના રિફંડ ખાતાના અનક્લેઈમ ફંડને કોન્સોલિડેટેડ ફંડમાં ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે

by Bipin Mewada
SEBI-Sahara fund Subroto Roy's death, 25 thousand crores in the government's treasury

News Continuous Bureau | Mumbai

SEBI-Sahara fund: સહારા ( Sahara ) ના વડા સુબ્રત રોય ( Subrata Roy ) નું ગત સપ્તાહે નિધન થયું હતું. જે બાદ ફરી એકવાર સવાલ ઉઠવા લાગ્યો કે લાખો રોકાણકારોના પૈસાનું શું થશે? મળશે કે ડૂબી જશે.અહેવાલો અનુસાર, સહારા-સેબી ( SEBI ) ના રિફંડ ખાતા ( Refund Account ) ના અનક્લેઈમ ફંડને કોન્સોલિડેટેડ ફંડ ( Consolidated Fund ) માં ટ્રાન્સફર કરવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સરકાર આ અંગે કાયદાકીય સલાહ લઈ રહી છે. જેથી ભવિષ્યમાં જ્યારે કોઈ રોકાણકાર ફંડનો દાવો કરે ત્યારે તેને પૈસા પરત કરી શકાય. તમને જણાવી દઈએ કે, આ વર્ષે 31 માર્ચ સુધી 48,326 ખાતામાં 138 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. સહારા ગ્રુપ ( Sahara Group ) પાસેથી કુલ 25,163 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી હતી. જે સરકારી બેંકોમાં ( government banks ) જમા કરાવવામાં આવી હતી.

2012 માં, માર્કેટ રેગ્યુલેટીંગ બોડી સેબીએ તેના આદેશમાં સહારા ગ્રૂપની કંપનીઓને રોકાણકારોના નાણાં વ્યાજ સાથે પરત કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે પણ આ નિર્ણયને યથાવત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે વેરિફિકેશન પછી પણ જો એક અથવા વધુ રોકાણકારોની ઓળખ ન થાય તો આવા ભંડોળ સરકાર પાસે જમા કરવામાં આવશે.

 રિફંડ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે….

લાંબી કાયદાકીય લડાઈમાં વિજય થયો હોવા છતાં હજુ મોટી સંખ્યામાં દાવેદારો આગળ આવવાના બાકી છે. ET સાથે વાત કરતાં એક અધિકારીએ જણાવ્યું હતું કે દાવો ન કરાયેલા નાણાંનો ઉપયોગ કલ્યાણ યોજના માટે થઈ શકે છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે જ કેન્દ્રીય સહકારી મંત્રાલય દ્વારા સહારાના રોકાણકારોને રિફંડ માટે એક વેબ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ના નવા પ્રોમો એ વધાર્યો ઉત્સાહ, 11 વર્ષ પછી સાથે જોવા મળશે સ્ટુડન્ટ ઓફ ધ યર ના આ કલાકાર

આ વર્ષની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના આદેશને પગલે, 5,000 કરોડ સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. આ નાણાં પાત્ર રોકાણકારોને પરત કરવાના છે. નવા ઓર્ડર મુજબ આ પૈસા 9 મહિનાની અંદર રોકાણકારોના ખાતામાં ટ્રાન્સફર કરવાના રહેશે. જો આમ નહીં થાય તો પૈસા ફરીથી સહારા-સેબીના રિફંડ એકાઉન્ટમાં મોકલવામાં આવશે.

રોકાણકારોએ ધ્યાનમાં રાખવું પડશે કે આધાર સાથે નોંધાયેલ મોબાઇલ નંબર સક્રિય હોવો જોઈએ. જો તમે આધાર સાથે લિંક કરેલ નંબર બદલ્યો છે, તો નવા નંબરને આધાર સાથે લિંક કરો. તેમજ તમારું બેંક એકાઉન્ટ આધાર નંબર સાથે લિંક હોવું જોઈએ. કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું હતું કે આ દસ્તાવેજોની મદદથી કોઈપણ રોકાણકાર પોર્ટલ પર જઈને તેની રસીદ અપલોડ કરીને રિફંડ મેળવી શકશે. તમને જણાવી દઈએ કે, પોર્ટલ પર એક ફોર્મ આપવામાં આવ્યું છે, તેને ડાઉનલોડ કર્યા પછી, રોકાણકારોએ સંપૂર્ણ માહિતી આપતાં તેમના હસ્તાક્ષર સાથે તેને ફરીથી પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More