Site icon

September 2023: 1 સપ્ટેમ્બરથી બદલાશે ઘણા જરૂરી નિયમો, આ કામ વહેલી તકે પતાવી દેજો નહિતર થશો હેરાન.. જાણો શું આ બદલાવથી થશે તમારા ખિસ્સાને ફાયદો… વાંચો સંપુર્ણ વિગતો અહીં…

September 2023: સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં આવશે આ નાણાકીય નિયમોમાં બદલાવ..આ મહિનામાં આવનાર મહત્વપૂર્ણ બદલાવ વિષે મેળવો જાણકારી

September 2023: Many necessary rules will be changed from September 1, settle this matter early otherwise you will be annoyed

September 2023: 1 સપ્ટેમ્બરથી બદલાશે ઘણા જરૂરી નિયમો, આ કામ વહેલી તકે પતાવી દેજો નહિતર થશો હેરાન.. જાણો શું આ બદલાવથી થશે તમારા ખિસ્સાને ફાયદો… વાંચો સંપુર્ણ વિગતો અહીં…

News Continuous Bureau | Mumbai 

 September 2023: ઓગસ્ટ મહિનો પૂરો થવાને આરે છે. ત્યારે સપ્ટેમ્બર મહિનામાં ઘણા મહત્વપૂર્ણ નાણાકીય નિયમોમાં બદલાવ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ માહિતી દરેક માટે મહત્વપૂર્ણ છે. સપ્ટેમ્બર મહિનો પૂરો થવા સાથે, ઘણા મહત્વપૂર્ણ કાર્યો પુરા કરવા જરૂરી છે, નહીં તો પરેશાનીઓ વધી શકે છે. તેમાંથી સૌથી મહત્ત્વનું કામ 2000 રૂપિયાની નોટો 30 સપ્ટેમ્બર સુધીમાં બદલી નાખવાનું છે. RBIની જાહેરાત મુજબ 30મી સપ્ટેમ્બર સુધી જ 2000 રૂપિયાની નોટો બદલી શકાશે. જેઓ આવું નથી કરતા તેઓને વધુ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ચાલો જાણીએ સપ્ટેમ્બર મહિનામાં થનારા મહત્વપૂર્ણ ફેરફારો વિશે.

Join Our WhatsApp Community

 

10 મહત્ત્વની બાબતોના નિયમ થશે બદલાવ…

 

  1. LPG સીલીન્ડરમાં મળશે રૂ 200ની રાહત 

કેન્દ્રીય કેબિનેટે LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી છે. ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 200 રૂપિયાની સબસિડી ઉપરાંત અલગથી આ લાભ પણ મળશે. આવી સ્થિતિમાં, આ યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 400 રૂપિયાનો લાભ મળશે. સરકારે ઓગસ્ટમાં જ આ મહત્વપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે સપ્ટેમ્બરમાં સિલિન્ડર બુક કરાવો છો, તો તમારે પ્રતિ સિલિન્ડર 200 રૂપિયા ઓછા ચૂકવવા પડશે.

  1. રૂ. 2000 ની નોટો બદલવાની છેલ્લી તારીખ

2,000 રૂપિયાની નોટો બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 છે. આવી સ્થિતિમાં, બેંકની રજાઓનું લીસ્ટ ખાસ તપાસવું જરૂરી છે. તમારી પાસે પડેલી 2000 રૂપિયાની નોટો શક્ય તેટલી વહેલી તકે નજીકની બેંકમાં બદલો. આવું ન કરતા 30 સપ્ટેમ્બર પછી વધુ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

  1. મફતમાં આધારકાર્ડનો  ડેટા અપડેટ કરવાની છેલ્લી તક

જો તમે તમારું આધારકાર્ડ મફતમાં અપડેટ કરવા માંગો છો, તો તમારે ચોક્કસપણે આ કામ 14 સપ્ટેમ્બર 2023 સુધીમાં પૂર્ણ કરવું જોઈએ. UIDAI એ મફતમાં આધાર અપડેટ કરવા માટે 14 સપ્ટેમ્બરની સમયમર્યાદા નક્કી કરી છે. પહેલા આ સુવિધા 14 જૂન સુધી જ આપવામાં આવતી હતી, ત્યારબાદ તેને 14 સપ્ટેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી. તમે આ તારીખ સુધીમાં નિશુલ્ક તમારી આધાર વિગતો અપડેટ કરી શકો છો.

  1. ડીમેટ ખાતાની નોમિનેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની છેલ્લી તારીખ

જો તમે ડીમેટ ખાતામાં નોમિનેશનની પ્રક્રિયા પૂર્ણ નથી કરી, તો તમારે આ કામ પણ 30 સપ્ટેમ્બર 2023 પહેલા પૂર્ણ કરવું જોઈએ. આ તારીખ પછી સેબી દ્વારા નોમિનેશન વગરના ખાતાઓને નિષ્ક્રિય કરી શકાય છે.

  1. ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર

જો તમારી પાસે એક્સિસ બેંકનું મેગ્નસ ક્રેડિટ કાર્ડ છે, તો સપ્ટેમ્બર મહિનાથી તેના નિયમો અને શરતોમાં મોટા ફેરફારો થઈ શકે છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ કેટલાક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહકોને સપ્ટેમ્બર મહિનાથી વિશેષ ડિસ્કાઉન્ટનો લાભ મળી નહિ શકે. આ સાથે 1 સપ્ટેમ્બરથી નવા કાર્ડધારકોએ GSTની સાથે વાર્ષિક 12,500 રૂપિયાની ફી પણ ચૂકવવી પડશે. જ્યારે જૂના ગ્રાહકોએ 10,000 રૂપિયા ઉપરાંત GST ચૂકવવો પડશે. જે ગ્રાહકોએ આખા વર્ષ દરમિયાન રૂ. 25 લાખ સુધીની ખરીદી કરી છે, તેમના ચાર્જીસ માફ કરવામાં આવશે.

  1. ભારતીય સ્ટેટ બેંકની આ સુવિધા 30 સપ્ટેમ્બરથી સમાપ્ત થશે

જો તમે SBIની WECare સ્કીમમાં રોકાણ કરવા માંગો છો, તો તમે સપ્ટેમ્બર મહિના સુધી જ કરી શકો છો. આ વિશેષ યોજનામાં રોકાણ માટેની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર, 2023 ના રોજ પૂરી થાય છે. SBIની આ સ્કીમનો લાભ માત્ર વરિષ્ઠ નાગરિકોને મળી શકે છે. આ યોજના હેઠળ, વરિષ્ઠ નાગરિકોને સામાન્ય લોકોની તુલનામાં પાંચ વર્ષ અને તેથી વધુ સમયગાળા માટે 7.50 ટકા સુધીનું વ્યાજ મળે છે.

  1. PAN અને આધારને લિંક કરવાની છેલ્લી તક

પાન અને આધાર કાર્ડને લિંક કરવા બાબતે પણ એક મોટી અપડેટ સામે આવી છે. જો કોઈ નાગરિક આ મહિનાના અંત સુધીમાં PAN કાર્ડને -આધાર સાથે લિંક નહીં કરે, તો સપ્ટેમ્બર મહિના પછી એટલે કે 1 ઓક્ટોબર, 2023 ના રોજ, તેનું પાનકાર્ડ ડીએક્ટીવેટ થઈ જશે. જો તમારું PAN આધાર સાથે લિંક નથી, તો તે તમારા ડીમેટ એકાઉન્ટને પણ અસર કરશે. 

  1. અમૃત મહોત્સવ FD માં રોકાણ કરવાની છેલ્લી તારીખ

IDBI બેંકની અમૃત મહોત્સવ FD યોજનામાં ઇન્વેસ્ટમેન્ટની  સમયમર્યાદા પણ 30 સપ્ટેમ્બર 2023ના રોજ પૂરી થાય છે. 375 દિવસની આ FD સ્કીમમાં સામાન્ય નાગરિકો માટે 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે 7.60 ટકા સુધી વ્યાજની જોગવાઈ છે. તે જ સમયે, 444 દિવસની FD હેઠળ, સામાન્ય નાગરિકોને 7.15 ટકાના દરે અને વરિષ્ઠ નાગરિકોને 7.65 ટકાના દરે વ્યાજ મળી શકે છે.

  1. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર

દર મહિનાની છેલ્લી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવનો રીવ્યુ કરે છે. આવી સ્થિતિમાં ઓગસ્ટના અંતમાં આવી રહેલી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને રાહતની જાહેરાત કરવામાં આવી શકે છે. જો આમ થશે તો લાંબા સમય બાદ સપ્ટેમ્બર મહિનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. બજારના જાણકારોનું માનવું છે કે સરકાર પાસે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનો વિકલ્પ પણ છે. જો તે આમ કરે છે, તો તે તહેવારોની સિઝનમાં દેશના મધ્યમ વર્ગના ગ્રાહકોને મોટો લાભ આપી શકે છે.

  1. CNG અને PNGના ભાવમાં ફેરફાર

સરકારે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં રાહતની જાહેરાત કરી છે. હવે CNG અને PNG ગ્રાહકોને પણ આશા છે કે તેમને સપ્ટેમ્બર મહિનાથી રાહત મળશે. આગામી તહેવારોની સિઝનમાં ગ્રાહકો પર દબાણ ઘટાડવા માટે સરકાર તેમની કિંમતોમાં ઘટાડો કરવાની જાહેરાત પણ કરી શકે છે. જો કે આ અંગે 31મી ઓગસ્ટની મધરાતે જ ખબર પડશે.

આ સમાચાર પણ વાંચો : Aeroflex Industries IPO Listing: આ IPO 83% પ્રીમિયમ પર લિસ્ટ થયો, રોકાણકારો પહેલા દિવસે થયા માલામાલ.. જાણો IPO વિશે સંપુર્ણ વિગતો અહીં…

FIIs: દ્વારા બે મહિનામાં ભારતીય બજારમાંથી કરાયો અધધ આટલા કરોડ રૂપિયાનો ઉપાડ, જાણો શું છે કારણ?
EPFO 3.0: EPFO 3.0 શું છે અને ક્યારે લોન્ચ થશે? તેના લીધે થશે આટલા કરોડ કર્મચારીઓને ફાયદો
GST 2.0: સિગારેટ અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો પર 40% ટેક્સ છતાં પણ દારૂ થયો તેમાંથી બાકાત,જાણો શું છે તેની પાછળ નું કારણ
Gold Price: જીએસટી સુધારાની જાહેરાત બાદ સોનાના ભાવમાં થયો આટલો ઘટાડો, જાણો રોકાણકારો માટે શું છે નિષ્ણાતોની સલાહ
Exit mobile version