Stock Market crash: ભારતીય શેરબજાર ખુલતા જ તૂટયુ, સેન્સેક્સ 1200 પોઈન્ટથી વધુ ઘટ્યો; આ છે ઘટાડાનું મુખ્ય કારણ

Stock Market crash:મધ્ય પૂર્વમાં વિમાન દુર્ઘટના અને વધતા યુદ્ધે ભારતીય બજારને બેવડો ફટકો આપ્યો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી, 13 જૂને ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ઇઝરાયલ દ્વારા ઇરાન પર હવાઈ હુમલાના સમાચાર પછી, વૈશ્વિક બજારમાં તણાવ વધ્યો, જેની અસર ભારતીય બજાર પર પણ પડી. ભારતીય શેરબજાર ખુલતાની સાથે જ ઊંધા માથે પટકાયું ગયું. સેન્સેક્સ 1,264 પોઈન્ટના ઘટાડા સાથે 80,427 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 415 પોઈન્ટના ઘટાડા સાથે 24,473 ના સ્તરે પહોંચ્યો.

by kalpana Verat
Stock Market crash Sensex crashes 1,300 points, Nifty drops below 24,500; why is Indian stock market falling

News Continuous Bureau | Mumbai

Stock Market crash:આજે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 1264  પોઈન્ટના ઘટાડા સાથે 80,427 પર ખુલ્યો, જ્યારે નિફ્ટી 415 પોઈન્ટ ઘટીને 24,471 ના સ્તરે પહોંચ્યો. શરૂઆતના સત્રમાં જ મોટો ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું વાતાવરણ સર્જાયું.

 શરૂઆતના વેપારમાં, સેન્સેક્સ 1,136.88 પોઈન્ટ  ઘટીને 80,555.09 ના સ્તરે પહોંચ્યો, જ્યારે નિફ્ટી 332.95 પોઈન્ટ ઘટીને 24,555.25 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ ઘટાડો ઈઝરાયલ-ઈરાન હુમલાને કારણે વૈશ્વિક બજારમાં સર્જાયેલા દબાણની અસર છે.

Stock Market crash:શેરબજારમાં ઘટાડાનું કારણ

ઈરાન પર ઈઝરાયલના હવાઈ હુમલાના સમાચાર પછી, વૈશ્વિક બજારમાં તણાવ વધ્યો, જેની અસર ભારતીય બજાર પર પણ પડી. વૈશ્વિક ભૂરાજકીય તણાવની સીધી અસર બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મેટલ, ઓઇલ અને ગેસ, ફાર્મા, ઓટો, PSU બેંકો, IT સહિત તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે, જેમાં 1-1.5 ટકાનો ઘટાડો થયો છે.

Stock Market crash:ઇન્ડિગો અને સ્પાઇસજેટના શેર લગભગ 5% ઘટ્યા

આ દરમિયાન, અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાની અસર ઉડ્ડયન ક્ષેત્રની કંપનીઓ પર પણ જોવા મળી હતી. ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગો) અને સ્પાઇસજેટ બંનેના શેરમાં શરૂઆતના વેપારમાં લગભગ 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ગુરુવારે થયેલા આ અકસ્માતમાં લગભગ 242 લોકો મૃત્યુ પામ્યા હતા, જેને છેલ્લા 10 વર્ષનો સૌથી મોટો વિમાન દુર્ઘટના ગણાવવામાં આવી રહ્યો છે. આનાથી ફ્લાઇટ સલામતી અંગે ચિંતા વધુ વધી છે.

આ સમાચાર પણ વાંચો : Air India Plane Crash: અમદાવાદમાં અકસ્માત બાદ એર ઇન્ડિયાનું વિમાન દિવાલ સાથે અથડાયું; અકસ્માતમાં 20 મેડિકલ વિદ્યાર્થીઓના મોતની આશંકા; જુઓ વિડીયો..

Stock Market crash:ટાટા ગ્રુપની કંપનીઓના શેરમાં તીવ્ર ઘટાડો

અમદાવાદમાં એર ઇન્ડિયાના ભયાનક વિમાન દુર્ઘટનાની અસર ટાટા ગ્રુપની કંપનીઓના શેર પર પણ જોવા મળી હતી. એર ઇન્ડિયા હવે ટાટા ગ્રુપનો ભાગ હોવાથી, બજારમાં અકસ્માત બાદ રોકાણકારોની ચિંતા વધી ગઈ હતી. આ કારણે, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, ટીસીએસ, ટાઇટન, ટાટા પાવર, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેક્નોલોજીસ, ટાટા કોમ્યુનિકેશન્સ અને ટાટા એલેક્સી જેવી ટાટા ગ્રુપની મોટી કંપનીઓના શેરમાં શુક્રવાર, 13 જૂને ઘટાડો જોવા મળ્યો. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાથી માત્ર ઉડ્ડયન ક્ષેત્ર જ નહીં પરંતુ ટાટા ગ્રુપની બ્રાન્ડ છબી અને રોકાણકારોની ભાવનાને પણ અસર થઈ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં રજૂ કરવામાં આવેલી માહિતી અન્ય મિડીયા પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ છે તેમજ તેની સત્યતા સંદર્ભે અમે કોઈ દાવો કરતા નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More