News Continuous Bureau | Mumbai
Godrej Locks: વેકેશન એટલે આરામ, વ્યસ્ત જીવનમાંથી વિરામ લેવાની અને આનંદ માણવાનો સમય. વેકેશનની ( vacation ) રજાઓમાં મોટાભાગના ભારતીયો ( Indians ) ફરવાનો શોખ ધરાવતા હોય છે. પરંતુ વેકેશન સ્પોટ પર પણ તેઓ ઘરની સલામતીની ( Home security ) ચિંતાથી હેરાન થતા હોય છે. ગોદરેજ ગ્રૂપની ( Godrej Group ) ફ્લેગશિપ કંપની, ગોદરેજ એન્ડ બોયસના બિઝનેસ, ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફિટિંગ્સ એન્ડ સિસ્ટમ્સ દ્વારા ‘લીવ સેફ, લીવ ફ્રીલી’ના ( Live Safe Live Freely ) નવા રિસર્ચ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આવી ચિંતાઓ ઘણીવાર રજાના આયોજનમાં વિક્ષેપ પાડે છે.
ગોદરેજ લૉક્સ એન્ડ આર્કિટેક્ચરલ ફીટીંગ્સ એન્ડ સિસ્ટમ્સના બિઝનેસ હેડ શ્યામ મોટવાણીએ આ વિચાર પર ટીપ્પણી કરી હતી કે, “’લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસના તારણો દર્શાવે છે કે મોર્ડન વેકેશનર (આધુનિક પ્રવાસી) માટે તેમના ઘરની સલામતી ચિંતાઓ બોજારૂપ છે. વેકેશન દરમિયાન દરવાજા યોગ્ય રીતે બંધ થયા હતા કે કેમ તે અંગેના પ્રશ્નો સતત તેમના મગજમાં ચાલતા હોય છે. તે સ્પષ્ટ છે કે ચિંતામુક્ત મુસાફરી માટે ઘરની સલામતીની ખાતરી કરવી અનિવાર્ય છે. આ અભ્યાસ ઘરની સલામતીમાં ટેક્નોલોજીની ભૂમિકા પર ભાર મૂકાયો છે, જે વ્યક્તિઓને તેમના વેકેશનના સમયનો સંપૂર્ણ આનંદ માણવા માટે સશક્ત બનાવે છે.
ડિજિટલ લોક જેવા અદ્યતન સોલ્યુશન્સ સાથે લોકો હવે ચિંતામુક્ત મુસાફરી કરી શકે છે, કારણ કે તેઓ Wi-Fi સાથે વિશ્વમાં ગમે ત્યાંથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા ઘરના લોકને યોગ્ય રીતે ઓપરેટ કરી શકે છે. ગોદરેજ લૉક્સ અને આર્કિટેક્ચરલ ફિટિંગ્સ અને સિસ્ટમ્સમાં, અમારી પ્રતિબદ્ધતા અત્યાધુનિક ઉકેલો પ્રદાન કરવાની છે જે વ્યક્તિઓને સલામતી સાથે સમાધાન કર્યા વિના મુક્તપણે જીવન માણવા સશક્ત બનાવે છે.”

So many Indians worry about home safety even on vacation.
‘લીવ સેફ, લીવ ફ્રીલી’ અભ્યાસનો હેતુ ભારતીયોના જીવનમાં મૂલ્યવાન પાસાંઓ ઉમેરવાની સાથે ઘરની સુરક્ષા માટે ટેક્નોલોજીના વિકલ્પો પ્રદાન કરી ચિંતામુક્ત શાંતિથી વેકેશન માણવાની ખાતરી આપવાનો છે.
આ સમાચાર પણ વાંચો : Israel-Hamas war: ઈઝરાયલ- હમાસ યુદ્ધમાં જઈ રહ્યા છે મહિલા અને બાળકોના જીવ! હવે યુરોપિયન યુનિયનના આટલા દેશોએ કરી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ.
અભ્યાસમાં પ્રવાસનો વિષય એ મહત્વના કેન્દ્ર બિંદુ તરીકે ઉભરી આવ્યો છે. જે દર્શાવે છે કે, 79% ઉત્તરદાતાઓ વેકેશન પર હોય ત્યારે તેમના ઘરના તમામ દરવાજા અને બારીઓને યોગ્ય રીતે લોક કર્યા હતાં કે નહિં તેની અસમંજસમાં રહી ચિંતિત થતા હોય છે. તેમજ 40%થી વધુ લોકોએ વરિષ્ઠ નાગરિકો દ્વારા ઘરની ચાવીઓ ભૂલી જવા કે ગુમાવી દેવાની અને લોક આઉટ થવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
So many Indians worry about home safety even on vacation.
આ રિસર્ચમાં નોંધ્યું હતું કે, 48% ઉત્તરદાતાઓ કે જેઓ તેમના ઘરની સુરક્ષા માટે ચિંતિંત નથી હોતાં તેઓ તેમની રજાઓના સમયગાળાને લંબાવી વર્કેશનમાં ફેરવતા હોય છે. વધુમાં 49% લોકોએ જણાવ્યું હતું કે, તેઓ ટેક ગેજેટની મદદથી દિવસમાં એકવાર તો ઘરની સુરક્ષા ચકાસતા હોય છે. ઓફિસમાં બેઠા બેઠા પણ આ પ્રક્રિયા તો રોજિંદા કરતાં હોય છે, 29% લોકો ઓફિસમાંથી દર ત્રીજા કલાકે ઘરની સુરક્ષાની ખાતરી કરતા હોવાનું જાણવા મળ્યું છે.
‘લીવ સેફ, લિવ ફ્રીલી’ અભ્યાસનો ઉદ્દેશ સલામતી અને સગવડતા સુનિશ્ચિત કરતાં સ્માર્ટ-હોમ ડિવાઈસિસ અપનાવવા પર લોકોની ટેવો અને સ્વભાવ સમજવાનો છે. આ અભ્યાસમાં મુંબઈ, દિલ્હી, કોલકાતા, બેંગ્લોર અને ભોપાલ સહિતના પાંચ શહેરોમાં 2,000 લોકોને આવરી લેવામાં આવ્યા હતાં
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.