સોનેરી તક – 20000 લોકોની ભરતી કરશે આ મોટી ભારતીય આઈટી કંપની- ભવિષ્યમાં મળશે સારી ઓપોર્ચ્યુનિટી

by Dr. Mayur Parikh
US permit interview for job on tourist viza

News Continuous Bureau | Mumbai

એક તરફ ટેક કંપનીઓએ(Tech companies) કર્મચારીઓની નવી ભરતી(New recruitment) પર બ્રેક લગાવી દીધી છે અને દબાયેલા શબ્દોમાં છટણીની પણ શક્યતા છે, તો બીજી તરફ કેટલીક ભારતીય ટેક કંપનીઓ(Indian Tech Companies) નવી ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે

એક તરફ ટેક કંપનીઓએ કર્મચારીઓની નવી ભરતી પર બ્રેક લગાવી દીધી છે અને દબાયેલા શબ્દોમાં છટણીની પણ શક્યતા છે, તો બીજી તરફ કેટલીક ભારતીય ટેક કંપનીઓ નવી ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે. ભારતની સૌથી મોટી ટેક કંપનીઓમાંની એક ટેક મહિન્દ્રા (Tech Mahindra) આગામી 1 વર્ષમાં (12 મહિનામાં) 20 હજારથી વધુ ભરતીની યોજના પર કામ કરી રહી છે.

એક અહેવાલ મુજબ ટેક મહિન્દ્રાના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર(Managing Director and Chief Executive Officer) સીપી ગુરનાનીએ( CP Gurnani) ભરતી અંગે સકારાત્મક સંકેતો આપ્યા છે. ગુરનાનીએ જણાવ્યું કે અમે આગામી એક વર્ષમાં લગભગ 20,000 લોકોને અમારી સાથે જોડીશું. આજે અમારી સાથે 1,64,000 લોકો કામ કરી રહ્યા છીએ, હવેથી 12 મહિનામાં અમે 1,84,000 લોકોની સંખ્યા સુધી પહોંચીશું.

આ સમાચાર પણ વાંચો : રિલાયન્સના JioBook 4Gની ભારે માંગ- માત્ર 15 હજાર રૂપિયામાં મળતું લેપટોપ થઇ ગયું આઉટ ઓફ સ્ટોક- જાણો શું છે એવી ખાસિયત 

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં પણ કરી છે ભરતી

તાજેતરમાં જાહેર કરાયેલા ત્રિમાસિક પરિણામો મુજબ IT સર્વિસિસ કન્સલ્ટન્સી કંપનીએ(IT Services Consultancy Company) સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 5,877 લોકોની ભરતી કરી હતી, જે જૂન ક્વાર્ટરમાં 6,862 હતી. કંપનીમાં કુલ કર્મચારીઓની સંખ્યા 1,63,912 છે. અત્રે નોંધનીય છે કે કંપનીનો નોકરી ગુમાવવાનો દર પણ અગાઉના ક્વાર્ટરમાં 22 ટકાથી ઘટીને FY23 ના Q2 માં 20 ટકા થયો હતો. વર્ષ-દર-વર્ષ એટ્રિશનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

વર્કફોર્સ(workforce) પર આધારિત રણનીતિ

ગુરનાનીએ જણાવ્યું હતું કે 164,000 પર, અમે માનીએ છીએ કે ભવિષ્યના નિર્માણ માટે અમારે કર્મચારીઓનું સારી રીતે મેનેજ કરવું જોઈએ. અમે ભવિષ્ય, સ્કિલ ડેવલોપમેન્ટ અને ગ્લોબલ ડિલિવરી મોડલ પર ધ્યાન કેન્દ્રિત કરીશું અને તે રીતે અમે અમારી (વર્કફોર્સ) વ્યૂહરચના બનાવવા જઈ રહ્યા છીએ.

IT સર્વિસિસ કંપનીએ જણાવ્યું હતું કે તેઓએ ગયા નાણાકીય વર્ષમાં લગભગ 10,000 ફ્રેશર્સ જોડ્યા હતા અને તેઓ ચાલુ નાણાકીય વર્ષમાં પણ આટલી જ સંખ્યા ઉમેરવાનું આયોજન કરી રહ્યા છે.

ત્રિમાસિક પરિણામોમાં ટેક મહિન્દ્રાનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 4 ટકા ઘટીને 1,285 કરોડ રૂપિયા થયો છે. ત્રિમાસિક ગાળામાં ઓપરેશનમાંથી કન્સોલિડેટેડ રેવેન્યૂ 13,129.5 કરોડ રૂપિયા હતી, જે અનુક્રમે 3.3 ટકા અને વાર્ષિક ધોરણે 20.6 ટકા વધી હતી.

આ સમાચાર પણ વાંચો : ફટાફટ કામ પતાવી દેજો- આ તારીખે બેંકના કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર જશે

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More