Site icon

આજથી એલઆઈસીની કાર્યપ્રણાલીમાં થશે આ ફેરફાર; જાણો વિગત…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૦ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીએ આજથી કામકાજના દિવસો અંગે નવો નિયમ અમલમાં મુક્યો છે. આજેથી એલઆઈસીના કર્મચારીઓ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરશે. હવે દર શનિવારે પણ એલઆઈસી રજા પાડશે. આ અંગે કેન્દ્ર સરકારે ૧૫ એપ્રિલના રોજ એક પરિપત્ર બહાર પાડ્યું હતું, જે અંતર્ગત શનિવારે પણ જાહેર રજા જાહેર કરવામાં આવી હતી.

સૌથી મોટા સમાચાર : શું મુંબઈમાં લોકડાઉન ચાલુ રહેશે? મહાનગરપાલિકાએ આપ્યો આ જવાબ.

નવા નિયમ પ્રમાણે એલઆઈસીનું કાર્યાલય અઠવાડિયામાં પાંચ દિવસ એટલે કે સોમવારથી શુક્રવાર સુધી સવારે ૧૦થી સાંજે ૫.૩૦ સુધી સેવા પૂરી પાડશે. જોકે એલઆઈસીની વેબસાઈટ રાબેતા મુજમ ચાલુ રહેશે અને ઓનલાઈન પણ સેવાઓનો લાભ લઈ શકાશે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે કોરોનાની કથળતી પરિસ્થિતિને પગેલે એલઆઈસીએ દાવા પતાવટના નિયમોમાં પણ છૂટછાટ આપી હતી. કંપનીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે જો હોસ્પિટલમાં મોત નીપજ્યું હોય તો તેવા મૃત્યુ દાવાને ઝડપથી આગળ વધારવા માટે હવે ડેથ સર્ટીફિકેટને બદલે મૃત્યુના વૈકલ્પિક પુરાવાઓને માન્ય ગણાશે.

GST Deduction: GST કપાત પછી આ છે દેશની સૌથી સસ્તી બાઇક, કિંમત જાણી તમે પણ થઇ જશો ઉત્સાહિત
Gold Price: નવરાત્રીના ત્રીજા દિવસે સોના ના ભાવ માં આવ્યો ઉછાળો, જાણો આજ ના લેટેસ્ટ ભાવ
GST Deduction: ટાટા ટિયાગો કે મારુતિ વેગનઆર, હવે જીએસટી કપાત પછી કઈ કાર મળશે સસ્તી?
Rupee Fall: અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયાનો ઐતિહાસિક ઘટાડો, અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે પહોંચ્યો
Exit mobile version