Site icon

જીઓને ટક્કર મારવા આ કંપની લાવી છે રીચાર્જ પર 50% કેશ બેક.. ફાયદો લેવાં માટે આટલુ કરવાનું રહેશે.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

17 ઓક્ટોબર 2020

ઈન્ડિયન ટેલિકોમ માર્કેટમાં હરિફાઈ ઘણી વધી ગઈ છે અને ખાસ કરીને પ્રીપેડ પ્લાન્સની સાથે કંપનીઓ કેટલાક ફાયદા પોતાના ગ્રાહકોને આપી રહી છે. જ્યારે ભારતી એરટેલ તરફથી યુઝર્સને પ્રીપેડ રીચાર્જ કરવા ઉપર કેશબેક ઓફર આપી રહી છે. જેમાં હાઈસ્પીડ ડેટાની સાથે તમામ નેટવર્ક્સ ઉપર ફ્રી કોલીંગનો ફાયદો યુઝર્સને મળતો હતો. પરંતુ તહેવારોને ધ્યાનમાં લઈ કેશબેક ઓફરનો ફાયદો ઉઠાવવા માટે એમેઝોન પેની મદદથી રિચાર્ઝ કરાવવાનું રહેશે. જો કે આ ઓફર માત્ર એમેઝોન પ્રાઈમ મેમ્બર્સ માટે છે. 

આ રીતના યુઝર્સને પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરવાથી 50 ટકા કે પછી 40 રૂપિયા સુધીનું કેશબેક મળશે. આ એક લિમીટેડ ટાઈમ ઓફર છે, જે માત્ર 30 ઓક્ટોબર સુધી જ માન્ય રહેશે. આ ઓફરનો ફાયદો લેવા માટે યૂઝર્સે પોતાના એમેઝોન પ્રાઈમ એકાઉન્ટથી લોગઈન કરવું પડશે અને કેશબેક રિવોર્ડ કલેક્ટ કરવાનું રહેશે. રિવોર્ડની મદદ લઈને યુઝર્સ પોતાના એમેઝોન પે બેલેન્સથી પ્રીપેઈડ નંબર ઉપર રિચાર્જ કરાવી શકશે. એટલે કે કેશબેક રિવોર્ડ પણ એમેઝોન પે વોલેટમાં જ મળશે. 

એમેઝોનની વેબસાઈટ ઉપર આપવામાં આવેલા ટર્મ્સ અને કડીશન્સમાં કહેવામાં આવ્યું છે કે, આ ઓફર માત્ર તે જ યુઝર્સને કેશબેક આપશે જે એમેઝોન પેની મદદથી રીચાર્જ કરશે. એટલે કે કેશબેક મેળવવા માટે એમેઝોન પ્રાઈમના મેમ્બર અને એમેઝોન પેની મદદથી પેમેન્ટ કરવું જરૂરી છે. કંપનીઓ વચ્ચેની હરીફાઈ નો છેવટે ફાયદો ગ્રાહકોને જ મળતો હોય છે…

Campa Cola: કોલ્ડ ડ્રિંક્સનો કિંગ કોણ? કેમ્પા કોલાની તાકાત સામે કોક-પેપ્સીનું સામ્રાજ્ય જોખમમાં, જાણો અંબાણીનો માસ્ટર પ્લાન.
PM SVANidhi: PM SVANidhi: શું પૈસાના અભાવે ધંધો અટકી પડ્યો છે? હવે ગેરંટી વગર સરકાર આપશે ₹90,000, જાણો આખી પ્રોસેસ
Benjamin Netanyahu: ભારત-ઇઝરાયલ મૈત્રી વધુ મજબૂત થશે; વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ ટૂંક સમયમાં ભારતની મુલાકાતે
Crypto Market Crash: ક્રિપ્ટોકરન્સીમાં કોહરામ: રોકાણકારોની જંગી વેચવાલીથી બજાર તૂટ્યું, જાણો માર્કેટ ક્રેશ પાછળનું મોટું કારણ
Exit mobile version