Site icon

મહારાષ્ટ્રના આ વ્યાપારી સંગઠને ફરી માગ્યું રાહત પૅકેજ; કહ્યું ગુજરાત પ્રમાણે મહારાષ્ટ્ર સરકાર પણ આપે આ રાહત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૮ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

ફેડરેશન ઑફ રિટેલ ટ્રેડર્સ વેલફેર ઍસોસિયેશનને મહારાષ્ટ્ર સરકારને ફરી એકવાર રાહત પૅકેજ આપવાની વિનંતી કરી છે. ઍસોસિયેશનના પ્રેસિડન્ટ વિરેન શાહે એક પ્રેસ રિલીઝ દ્વારા કહ્યું છે કે અમે મહારાષ્ટ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે ગુજરાત સરકારની જેમ મહારાષ્ટ્ર સરકાર પણ વેપારીઓ, દુકાનદારો, હૉટેલ્સ, રેસ્ટોરાં વગેરેને રાહત પૅકેજની જાહેરાત કરો.

હકીકતે ગુજરાતના મુખ્ય પ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી કોરકમિટીની બેઠકમાં લેવાયેલા નિર્ણય અનુસાર રાજ્યમાં તારીખ 1 એપ્રિલ,2021થી 31 માર્ચ,2022 સુધીના એક વર્ષના સમય માટે હૉટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાં અને વૉટરપાર્ક્સને પ્રોપર્ટી ટૅક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. કોર કમિટીમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હૉટેલ, રિસોર્ટ્સ, રેસ્ટોરાંસ અને વૉટરપાર્ક્સને વીજબિલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજવપરાશ થયો હોય એના પર જ વીજબિલની આકારણી કરી ચાર્જ વસૂલ કરવામાં આવશે.

હવે આ વેપારી સંગઠને કરી માગણી; કહ્યું થયેલા નુકસાનનું વળતર આપે સરકાર,જાણો વિગત

ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે પણ આ ઍસોસિયેશન સરકારને દુકાનો ખુલ્લી રાખવા અને બીજી અમુક રાહત આપવાની વિનંતી કરી હતી. જોકેસરકાર હજી આ દિશામાં કોઈ પગલાં માંડતી હોય એવું જણાતું નથી.

UPI: UPI યુઝર્સ માટે મહત્વ ના સમાચાર, આજથી નિયમોમાં થશે ફેરફાર; જાણો કોને ફાયદો, કોને નુકસાન
Gold Price: દિવાળી પહેલા જ ચાંદીએ પકડી રોકેટની ગતિ, ઇતિહાસમાં પહેલીવાર તોડ્યા તમામ રેકોર્ડ, જાણો સોના ચાંદી ના ભાવ
RBI: મોબાઈલ ફોન માટે લીધેલી લોન ન ચૂકવવી હવે ગ્રાહકો ને પડશે ભારે, રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા લાવી રહી છે નવો નિયમ
SEBI એ બદલ્યા IPOના નિયમો, રોકાણ પ્રક્રિયા બનશે સરળ, જાણો વિગતે
Exit mobile version