Site icon News Continuous Bureau | Mumbai

તિરુપતિ મંદિરે જાહેર કરી તેની સંપત્તિની વિગતો- શું સાચે જ તિરુપતિ મંદિરની અધધ આટલા કરોડની સંપત્તિ છે- આંકડો જાણી સૌ ચોક્યા

 News Continuous Bureau | Mumbai

તિરુપતિ મંદિરની સંપત્તિ(Wealth of Tirupati Temple) માત્ર મોટી કંપનીઓ કરતાં વધુ નથી, પરંતુ વિશ્વના ઘણા દેશોની જીડીપીથી(GDP) પણ વધુ છે. વિશ્વ બેંકના(World Bank) 2021ના જીડીપી ડેટા અનુસાર ડોમિનિકા, સેશેલ્સ, એન્ટીગુઆ અને બરબુડા, ભૂટાન, ગ્રીનલેન્ડ, ફિજી, માલદીવ્સ, મોનાકો, બર્મુડા, ગુયાના, તાજિકિસ્તાન, મોરેશિયસ, દક્ષિણ સુદાન, નામીબિયા, નિકારાગુઆ, મોંગોલિયા, માલ્ટા, માલી, અફઘાનિસ્તાન. તિરુપતિ ટેમ્પલ ટ્રસ્ટ પાસે હૈતી, આઈસલેન્ડ, ઝિમ્બાબ્વે, સાયપ્રસ સહિતના ઘણા દેશોની જીડીપી કરતાં વધુ સંપત્તિ છે.

Join Our WhatsApp Channel

તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વરનું(Lord Venkateswara) પ્રખ્યાત મંદિર છે જે તિરુપતિ મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરની કુલ સંપત્તિ 2.5 લાખ કરોડ રૂપિયાથી વધુ છે જે અમેરિકન ચલણમાં 30 અબજ ડોલરની બરાબર છે. તિરુપતિની આ પ્રોપર્ટી ભારતની ઘણી મોટી કંપનીઓની માર્કેટ કેપિટલાઇઝેશન(Market Capitalization) કરતાં પણ વધુ છે. જેમ કે આઈટી સર્વિસ કંપની(IT Services Company) વિપ્રો(Wipro), ફૂડ એન્ડ બેવરેજ કંપની નેસ્લે, સરકારી ઓએનજીસી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન.

 આ સમાચાર પણ વાંચો:  સોના ચાંદીની ચમક વધી- ખરીદીનો પ્લાન હોય તો વાંચો આ સમાચાર- સાથે જ જાણી લો લેટેસ્ટ રેટ  

તિરુપતિ મંદિરનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(Tirumala Tirupati Devasthanam) દ્વારા કરવામાં આવે છે. આ મંદિરે તાજેતરમાં નેટવર્થનો ખુલાસો કર્યો છે. દેવસ્થાનમ ટ્રસ્ટની સ્થાપના 1933માં કરવામાં આવી હતી, ત્યારબાદ પ્રથમ વખત કુલ સંપત્તિની વિગતો આપવામાં આવી છે. તિરુપતિ મંદિરની મિલકતોમાં 10.25 ટન સોનું છે જે બેંકમાં જમા છે. આ સિવાય દેશભરમાં મંદિરોના નામે 2.5 ટન સોનાના દાગીના, 16,000 કરોડ રૂપિયા બેંકમાં જમા છે અને 960 પ્રોપર્ટી છે. આ તમામ મિલકતોની કુલ કિંમત 2.5 લાખ કરોડ રૂપિયા છે.

સ્ટોક એક્સચેન્જના(Stock Exchange) ડેટા અનુસાર, તિરુપતિ મંદિરની કુલ સંપત્તિ વર્તમાન ટ્રેડિંગ કિંમતો(Trading prices) પર ઘણી બ્લુ-ચિપ ભારતીય કંપનીઓ (Blue-chip Indian companies) કરતાં વધુ છે. શુક્રવારે છેલ્લા વેપારમાં બેંગ્લુરુ સ્થિત વિપ્રોની માર્કેટ કેપ રૂ. 2.14 લાખ કરોડ હતી, જ્યારે અલ્ટ્રાટેક સિમેન્ટનું માર્કેટ કેપ રૂ. 1.99 લાખ કરોડ હતું. સ્વિસ મલ્ટીનેશનલ ફૂડ એન્ડ બેવરેજ કંપની નેસ્લેની ભારતીય શાખા રૂ. 1.96 લાખ કરોડની બજાર મૂડી ધરાવે છે અને તે તિરુપતિ મંદિરની સંપત્તિ કરતાં ઓછી છે.

 આ સમાચાર પણ વાંચો LIC કંપની આપી રહી છે રૂપિયા કમાવવાની સુવર્ણ તક- આવી રીતે કમાવી શકો છો તગડો નફો- જાણો રીત

સરકારી કંપની ઓઈલ એન્ડ નેચરલ ગેસ, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન પાસે પણ તિરુપતિ મંદિર કરતા ઓછી સંપત્તિ છે. પાવર જાયન્ટ એનટીપીસી લિમિટેડ, ઓટો કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કોલ ઈન્ડિયા લિમિટેડ, ખાણકામ કંપની વેદાંત, રિયલ એસ્ટેટ ફર્મ ડીએલએફ અને બીજી અન્ય ઘણી કંપનીઓ તિરુપતિ મંદિર કરતા પાછળ છે. મા

Made in India Jewellery ગ્લોબલ માર્કેટમાં ચમકશે ભારતીય જ્વેલરી! મુંબઈમાં જ્વેલરી શોનો પ્રારંભ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આભૂષણ ઉદ્યોગને આપી ખાસ સલાહ
IIJS Bharat Premiere 2026 ભારત બનશે રફ ડાયમંડનું વૈશ્વિક હબ… મુંબઈમાં 42મી જ્વેલરી એક્ઝિબિશનનો પ્રારંભ, રત્ન અને આભૂષણ ઉદ્યોગને મળશે નવી વૈશ્વિક તકો
UPI charges clarification યુપીઆઈ સેવા ફ્રી છે કે નહીં? પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (PCI) એ ગ્રાહકો અને વેપારીઓ માટે ચાર્જ અંગે કરી સ્પષ્ટતા
Old Monk FSSAI ban રાતોરાત વેચાણ બંધ કરવાથી થશે મોટું નુકસાન, FSSAI સામે બોમ્બે હાઈકોર્ટમાં પહોંચી ફેમસ ‘ઓલ્ડ મોન્ક’!
Exit mobile version