Site icon News Continuous Bureau | Mumbai

પડતાં પર પાટુ; કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવા માગતી મહારાષ્ટ્ર સરકાર : વિશ્વાસમાં લીધા વગર નવું બિલ નહીં લાવવાની વેપારીઓની ચોખ્ખી ચેતવણી, જાણો વધુ વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 16 જૂન 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કોરોના મહામારીને પગલે આર્થિક ફટકામાંથી હજી વેપારીઓ બહાર આવી શક્યા નથી. મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ મહાનગરપાલિકાના નવા-નવા નિયમોને કારણે તેમના વેપારને વધુ અસર થઈ રહી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારે વિધાનસભાના ચોમાસું સત્રમાં કૃષિપેદાશ ખરીદનારાઓ માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું બિલ લાવવાનું પ્રસ્તાવિત કર્યું છે.

વેપારીઓની વિદેશી કંપનીઓ સામે સિગ્નેચર ઝુંબેશ, વિદેશી ઈ-કૉમર્સને કારણે બંધ પડેલી દુકાનોનો સર્વે કરવાની સરકાર સમક્ષ માગણી; જાણો વધુ વિગત

સરકારના આ પ્રસ્તાવિત બિલ સામે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો છે. વેપારીઓના કહેવા મુજબ  વિશ્વાસમાં લીધા વગર બિલ લાવ્યા તો આંદોલન કરીશું. નવી મુંબઈનાં વેપારી મંડળોના કહેવા મુજબ 2016માં મહારાષ્ટ્ર સરકારે મલ્ટિનૅશનલ કંપની, મૉલ્સ તથા સુપર માર્કેટને APMCના કાયદામાંથી છૂટ આપી છે. પછી હવે વેપારીઓ માટે આ કૃષિપેદાશ ખરીદી કરવા માટે લાઇસન્સ ફરજિયાત કરવાનું કારણ શું? સરકારે કોઈ પણ કાયદો લાવતાં પહેલાં વેપારીઓને વિશ્વાસમાં લેવા જ પડશે. અન્યથા વિરોધ કરવા આંદોલનનો જ માર્ગ અપનાવો પડશે.

Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ
Bombay High Court HDFC Bank Case। HDFC CEO ની મોટી જીત! હાઈકોર્ટે લાંચનો કેસ ફગાવી પોલીસને લગાવી ફટકાર, જાણો શું છે સમગ્ર મામલો?
Indian Bank Cyber Security Threat| સરકારી બેંકોમાં મોટો ફેરફાર સાયબર એટેકના વધતા જોખમો વચ્ચે લેવાયો મહત્વનો નિર્ણય, હવે સિસ્ટમ બનશે લોખંડી
LPG Price Update। LPG સિલિન્ડરના ભાવમાં રાહત કે આફત? જાણો લેટેસ્ટ રેટ્સ અને બુકિંગના બદલાયેલા નવા નિયમો
Exit mobile version