Site icon News Continuous Bureau | Mumbai

2 હજાર રૂપિયાની નોટનો ઉપયોગ ક્યા કરી રહ્યા છે લોકો? સામે આવી એવી જાણકારી કે તમારા હોશ ઉડી જશે

ભારતીય રિઝર્વ બેંકે 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢ્યા પછી, લોકો આ મૂલ્યની નોટોનો ઉપયોગ મુખ્યત્વે ઈંધણ, ઝવેરાત અને કરિયાણાની ખરીદી માટે કરી રહ્યા છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે

Rule Change From 1st July: As July rolls around, these 5 big changes will hit your pocket, from banking to the kitchen

Rule Change From 1st July: As July rolls around, these 5 big changes will hit your pocket, from banking to the kitchen

News Continuous Bureau | Mumbai

2000 Rupees Note Use: ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2,000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કાઢ્યા પછી, લોકો (PEOPLE)  આ મૂલ્યની નોટોનો ઉપયોગ મુખ્યત્વે ઈંધણ, ઝવેરાત અને કરિયાણાની ખરીદી માટે કરી રહ્યા છે. એક સર્વેમાં આ વાત સામે આવી છે. ડેસ્ટિનેશન-આધારિત સોશિયલ નેટવર્ક પબ્લિક એપ દ્વારા અખિલ ભારતીય સ્તરે હાથ ધરાયેલા સર્વે મુજબ, 55 ટકા લોકો 2,000 રૂપિયાની નોટો બેંકોમાં જમા કરાવવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે 23 ટકા લોકો તેને ખર્ચવાની યોજના બનાવી રહ્યા છે અને 22 ટકા લોકો તેને બેંકોમાં બદલવા માટે તૈયાર છે. 

Join Our WhatsApp Channel

2000 ની નોટને પાછી ખેંચવાની થઈ હતી જાહેરાત

આરબીઆઈ (RBI) એ 19 મેના રોજ 2 હજાર રૂપિયાની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જો કે, લોકોને આ નોટો તેz  ખાતામાં જમા કરાવવા અથવા બેંકમાં બદલવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે.

2 અઠવાડિયામાં લગભગ અડધી નોટો પાછી આવી

આરબીઆઈ (RBI) એ તાજેતરમાં જણાવ્યું હતું કે, ચલણમાં રહેલી 2 હજાર રૂપિયાની લગભગ અડધી નોટો અંદાજે બે અઠવાડિયામાં પરત આવી ગઈ છે. આ સર્વેમાં 22 રાજ્યોના એક લાખથી વધુ લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. સર્વેમાં કહેવામાં આવ્યું છે કે, લોકો પેટ્રોલ અને ડીઝલ, સોનું અને ઝવેરાત અને રોજીંદી કરિયાણાની ખરીદી માટે 2000 રૂપિયાની નોટનો ઉપયોગ કરી રહ્યા છે.

નોટ બદલવામાં નથી આવી રહી કોઈ સમસ્યા

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમને તેમની નોટો બદલવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો 61 ટકા ઉત્તરદાતાઓએ દાવો કર્યો કે તેમને પ્રક્રિયામાં કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. કેરળમાં 75 ટકા લોકોએ આ વાત કહી. તે જ સમયે, આંધ્રપ્રદેશમાં 53 ટકા અને તમિલનાડુમાં 50 ટકા લોકોએ જણાવ્યું કે, તેમને નોટ બદલવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો નથી. બીજી તરફ 42 ટકા લોકોએ જણાવ્યું કે, સ્થાનિક લોકોએ તેમની પાસેથી આ નોટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

સર્વેમાં થયો આ ખુલાસો

સર્વેમાં સામેલ 51 ટકા લોકોનું માનવું હતું કે તેમને નોટ બદલવા માટે વધુ સમય મળવો જોઈએ. તે જ સમયે, 44 ટકા લોકોએ જણાવ્યું કે, નોટ બદલવાની દૈનિક મર્યાદા 20,000 રૂપિયાથી વધુ હોવી જોઈએ.

આ સમાચાર પણ વાંચો: પહેલા મરઘી કે ઈંડું? નાનપણથી મને મૂંઝવતા પ્રશ્નનો જવાબ આખરે વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે.


Offline UPI Payments Flights Trains ઇન્ટરનેટ વગર થશે UPI પેમેન્ટ, NPCI વિકસાવી રહ્યું છે ‘TaptoPay’ ઓફલાઇન ટેકનોલોજી
Service charge ગ્રાહકોની સહમતિ વગર બિલમાં ‘સર્વિસ ચાર્જ’ વસૂલવો પડશે મોંઘો, સીસીપીએ એ ચાયોસ અને બાર્બેક્યુ નેશન સહિત 41 રેસ્ટોરન્ટ્સ પર ફટકાર્યો દંડ,
Luxury life net worth India અમીરોની યાદીમાં સામેલ થવા અને શાહી જીવનશૈલી જીવવા કેટલા નાણાં છે જરૂરી? જાણો શું કહે છે રિપોર્ટ
Post Office PPF Formula પોસ્ટ ઓફિસની સુપરહિટ ફોર્મ્યુલા, આ સ્કીમમાં રોકાણ કરીને બની શકો છો કરોડપતિ, જાણો વ્યાજ દર અને ટેક્સ સેવિંગ ગણિત
Exit mobile version