Site icon

અમદાવાદ : 30 લાખ ખર્ચીને બોપલનો યુવક બોગસ પાસપોર્ટ પર UK ગયો, પરત આવતા એરપોર્ટ પર આ કારણે ઝડપાયો

શંકા જતા તેના માતા-પિતાનું નામ પૂછતાં યુવકે જવાબ આપ્યો નહોતો. જોકે ત્યાર બાદ યુવકની કડક પૂછપરછ કરવામાં આવી હતી.

bopal youth went to UK on bogus passport after spending 30 lakhs

અમદાવાદ : 30 લાખ ખર્ચીને બોપલનો યુવક બોગસ પાસપોર્ટ પર UK ગયો, પરત આવતા એરપોર્ટ પર આ કારણે ઝડપાયો

 News Continuous Bureau | Mumbai

અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગે એક યુવકની ધરપકડ કરી હતી. બોપલનો આ યુવક બોગસ ભારતીય પાસપોર્ટ સાથે યુ.કેથી અમદાવાદ આવેલી ફલાઈટમાં આવ્યો હતો. યુવકની પૂછપરછમાં વિભાગને ચોંકાવનારી વિગતો જાણવા મળી. યુવકે પાસપોર્ટ અને પીઆર સુધીના ખર્ચ પેટે રૂ. 30 લાખ ચૂકવ્યા હતા અને ઓગસ્ટ, 2022માં યુકેની એક મહિલાએ યુવકને પોતાનો પુત્ર તરીકે દર્શાવી યુકે લઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

મહાશિવરાત્રી પર્વ, હિંદુઓનો સૌથી મોટો તહેવાર. જાણો તેના વિશે.

યુવકે પાસપોર્ટ બોગસ હોવાનું કબૂલ્યું

મળતી માહિતી મુજબ, અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમિગ્રેશન વિભાગના ઓફિસર રાકેશકુમાર પાંડે ફરજ પર હતા ત્યારે એક યુવક એર ઈન્ડિયાની યુકેથી અમદાવાદ આવેલી ફ્લાઇટમાંથી ઉતર્યો હતો. ઈમિગ્રેશન ઓફિસરે તપાસ કરતા યુવકના ભારતીય પાસપોર્ટમાં ક્રિશ્ચિયન નામ હતું, જ્યારે તેના જમણા હાથ પર ઓમનું ચિન્હ દોરેલું હતું. આથી શંકા જતા તેના માતા-પિતાનું નામ પૂછતાં યુવકે જવાબ આપ્યો નહોતો. જોકે ત્યાર બાદ યુવકની કડક પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન યુવકે કબૂલ્યું હતં કે, તેનું સાચું નામ તુષાર પટેલ અને તે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહે છે. સાથે યુવકએ એમ પણ કબૂલ્યું કે તેનો પાસપોર્ટ બોગસ છે.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

તુષારની પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેણે જણાવ્યું કે, વર્ષ 2021માં તેણે એક રિટા મેનેજેસ નામની મહિલાએ લંડન લઈ જવાની ખાતરી આપી હતી અને ખોટા દસ્તાવેજોના આધારે બોગસ પાસપોર્ટ બનાવડાવ્યો હતો. ત્યાર બાદ ઓગસ્ટ, 2022માં યુવક યુકે ગયો હતો. આ માટે મહિલાએ યુવક પાસેથી રૂ. 30 લાખ લીધા હતા. જોકે હવે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version