Raid:રમકડાના ઉત્પાદક પર ભારતીય માનક બ્યુરોના દરોડા

Raid:ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય  અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ISI) માર્ક વિનાના રમકડાં બનાવાની  માહિતીના આધાર પર

by Akash Rajbhar
the Bureau of Indian Standards, Ahmedabad Branch Office, manufactures toys without ISI mark

Raid:ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય  અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ISI) માર્ક વિનાના રમકડાં બનાવાની  માહિતીના આધાર પર  તારીખ 28.08.2024ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજનિક ઉદ્યોગ, સર્વે નંબર 1039, પ્લોટ નંબર 95 થી 99, વારાહી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઇ, અમદાવાદ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી. દરોડા દરમિયાન ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 6000 થી વધારે રમકડાંઓં જપ્ત કરવામાં આવ્યા.

ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયનાં 25 ફેબ્રુઆરી 2020 ના ઓર્ડર નંબર S.O.853(E) અને 15 સપ્ટેમ્બર 2020ના સુધારા મુજબ, આવા ઉત્પાદનો (રમકડાં) અથવા સામાન અથવા 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં રમવા માટેના હેતુથી બનાવેલ વસ્તુઓ ઉપર આઈ.એસ.આઈ (ISI) માર્ક 01 જાન્યુઆરી 2021 પછી ફરજિયાત કરવામાં આવ્યો છે અર્થાત કોઈપણ ઉત્પાદક અથવા વેપારી ISI માર્ક વિના રમકડાંનું ઉત્પાદન, વેચાણ અને સંગ્રહ કરી શકશે નહીં અને માત્ર એવા ઉત્પાદકોને જ ISI માર્ક લાગુ કરવાની મંજૂરી છે કે જેમની પાસે ભારતીય માનક બ્યુરોનું માન્ય લાઇસન્સ છે. બ્યુરો પાસેથી માન્ય લાયસન્સ લીધા વિના ઉત્પાદકો દ્વારા આઈ એસ આઈ માર્ક લગાવવું અથવા આઈ એસ આઈ માર્ક વિના રમકડાં બનાવવા, વેચવા અને સંગ્રહ કરવા એ સજાપાત્ર ગુનો છે. આવું કરનારનાં વિરુધ્ધ ભારતીય માનક બ્યૂરો અધિનિયમ 2016ના અનુચ્છેદ 17ના ઉલ્લંઘનની કાર્યવાહી કરવામાં આવે છે. આ અપરાધ દંડનીય છે, જે અંતર્ગત બે વર્ષની જેલ અથવા ઓછામાં ઓછા  રૂપિયા 2,૦૦,૦૦૦/- આર્થિક દંડ અથવા બંને સજાની જોગવાઈ છે.

આ સમાચાર પણ વાંચો:Jamnagar: ભારે વરસાદને પગલે જામનગર શહેર જળબંબાકાર, અસરગ્રસ્ત વિસ્તારોના લોકોને આટલા લાખ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરાયા; જુઓ વિડીયો

બેઈમાન ઉત્પાદકો/વેપારીઓ જનતાને છેતરવા માટે ભારતીય માનક બ્યૂરોના માન્ય લાયસન્સ લીધા વગર આવા ઉત્પાદનોનું ઉત્પાદન/વેચાણ કરતા હોય છે. આ ઉપરાંત, ભારત સરકાર દ્વારા સમયાંતરે જારી કરાયેલ ગુણવત્તા નિયંત્રણ આદેશોનું ઉલ્લંઘન પણ સજાપાત્ર ગુનો છે. ભારતીય માનક બ્યૂરો સમય સમય પર આવા પ્રકારની સામગ્રીના ઉપયોગથી થતી છેતરામણી અને સંભવિત સુરક્ષા ખતરાથી આમ જનતાને બચાવવા માટે ISI માર્કના દુરુપયોગની મળેલ/કરેલ ફરિયાદ અનુસાર અવારનવાર સંખ્યાબધ દરોડા કરતી હોય છે. કોઈપણ વ્યક્તિ જેની પાસે ભારતીય માનક બ્યુરોના માનકચિહ્નના દુરપયોગની જાણકારી હોય અથવા ફરજીયાત પ્રમાણનના હેઠળ આવતા ઉત્પાદનોનું ઉત્પાદન આઈએસઆઈ (ISI) માર્ક વિના કરનારાઓ વિશે કોઈપણ પ્રકારની માહિતી હોય તો તે પ્રમુખ,  ભારતીય માનક બ્યૂરો,  ત્રીજોમાળ,  નવજીવન અમૃત જયંતી ભવન,  ગુજરાત વિદ્યાપીઠની પાછળ,  આશ્રમરોડ,  અમદાવાદ-380014, ફોન નં. 079-27540314 પર લખી શકે છે. ફરિયાદને ahbo@bis.gov.in અથવા complaints@bis.gov.in પર ઈમેલ અથવા બીઆઈએસ કેયર  એપ દ્વારા પણ કરી શકાય છે. આવા પ્રકારની સૂચના આપનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More