Bhuj Railway Station: પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું

Bhuj Railway Station: પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.

by Akash Rajbhar
General Manager of Western Railway Shri Ashok Kumar Mishra inspected Bhuj Railway Station

News Continuous Bureau | Mumbai

Bhuj Railway Station: પશ્ચિમ રેલવે ના જનરલ મેનેજર શ્રી અશોક કુમાર મિશ્ર એ અમદાવાદ મંડળ ના ભુજ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી અને સ્ટેશન પર ચાલી રહેલા પુનઃવિકાસના કામોની સમીક્ષા કરી હતી.

જનરલ મેનેજર શ્રી મિશ્ર એ ભુજ રેલવે સ્ટેશન પર નિર્માણાધીન બિલ્ડીંગ, સરકુલેટિંગ એરિયા, પ્લેટફોર્મ, ફૂટ ઓવર બ્રિજ અને અન્ય મુસાફરોની સુવિધાઓનું સઘન નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન, તેમણે સ્ટેશન પર પ્લેટફોર્મ 1-3 અને ફૂટ ઓવર બ્રિજ (એફઓબી નું નિરીક્ષણ કર્યું. સ્ટેશન પર ચાલી રહેલા કામોની પ્રગતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને તેને સમયસર પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

General Manager of Western Railway Shri Ashok Kumar Mishra inspected Bhuj Railway Station

આ સમાચાર પણ વાંચો  : Veer Bal Diwas: પ્રધાનમંત્રી નવી દિલ્હીમાં 26 ડિસેમ્બરે વીર બાલ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે

આ દરમિયાન તેમણે રેલવે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે બેઠક યોજી હતી અને રિડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા અને સમયસર પૂર્ણ કરવા સૂચનાઓ પણ આપી હતી.

આ દરમિયાન જનરલ મેનેજર ની સાથે એઆરએમ ગાંધીધામ, શ્રી આશિષ ધાનિયા સહિત અન્ય રેલવે અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More