Site icon

Ahmedabad : અમદાવાદ જિલ્લામાં તા. 01થી તા. 08 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી

Ahmedabad : મહિલાઓની સુરક્ષા, સ્વાવલંબન અને સ્વાસ્થ્ય જેવા અગત્યના પાસાંઓને આવરી લેતો 'નારી વંદન' સપ્તાહ. અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન

In Ahmedabad district 01 to Celebration of 'Nari Vandan' week during 08 August

In Ahmedabad district 01 to Celebration of 'Nari Vandan' week during 08 August

News Continuous Bureau | Mumbai 

Ahmedabad : ગુજરાત રાજ્યમાં મહિલાઓ સામજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે; મહિલાઓના ( Women ) સર્વાંગી વિકાસના મહત્ત્વનાં પરિબળો જેવાં કે સુરક્ષા, સ્વાવલંબન, કલ્યાણ અને સ્વાસ્થ્ય વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર ( Department of Women and Child Development  ) દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં દર વર્ષે તા. 01થી 08 ઓગસ્ટ દરમિયાન ‘નારી વંદન’ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે.  

Join Our WhatsApp Community

 અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર અને અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા ‘નારી વંદન’ સપ્તાહ ( Nari Vandan‘ ) , 2024ના આ કાર્યક્રમમાં તા. 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, તા. 2 ઓગસ્ટે બેટી બચાઓ બેટી પઢાઓ દિવસ, તા. 3 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, તા. 5 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ, તા. 6 ઓગસ્ટે મહિલા કર્મયોગી દિવસ, તા. 7 ઓગસ્ટે મહિલા કલ્યાણ દિવસ અને તા. 8 ઓગસ્ટે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવશે. 

આ સમાચાર પણ વાંચો :  Today’s Horoscope : આજે ૩૧ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

‘નારી વંદન’ સપ્તાહના ઉપરોકત દિવસો દરમિયાન ( Women Empowerment ) મહિલાઓને સ્વરક્ષણની તાલીમ, ઘરેલુ હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાકીય સેમિનાર, ચિત્ર અને વકૃત્વ સ્પર્ધા, મેનસ્ટ્રુઅલ હાઈઝીન અંગેનો જાગૃતિ કાર્યક્રમ, મહિલા રોજગાર ભરતી મેળો, જિલ્લામાં નેતૃત્વ કરતી મહિલાઓ માટેનો સન્માન કાર્યક્રમ, કામકાજના સ્થળે મહિલાઓની થતી જાતિય સતામણી (અટકાયત, પ્રતિબંધ અને નિવારણ) અધિનિયમ-2013 અન્વયે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર, મહિલા જાગૃતિ શિબિર, રેલી, એનિમિયા ટેસ્ટિંગ, આરોગ્ય પોષણ અંગેનો જાગૃતિ કાર્યક્રમ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version