Lok sabha election 2024 : મેટ્રો ટ્રેનમાં ગુંજ્યો ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નાદ, મેટ્રો ટ્રેનમાં મુસાફર કરતા નાગરિકોએ લીધા અચૂક મતદાનના શપથ

Lok sabha election 2024 : યુવાનોએ મતદાન પર્વના મહત્ત્વ વિશે લોકોને સમજ આપી હતી. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

 News Continuous Bureau | Mumbai 

 Lok sabha election 2024 : 

Join Our WhatsApp Community

અમદાવાદ ( Ahmedabad ) જિલ્લામાં આગામી તા.7મી મે,2024ના રોજ યોજાનારી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મતદાન ( Voting ) જાગૃતિ અન્વયે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવનવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત શહેરના અનેક આઇકોનિક સ્થળ પર ‘મતદાન જાગૃતિ’ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

 Lok sabha election 2024 Voting oath taken by citizens traveling in ahemdabad metro train

અમદાવાદ શહેરના મેટ્રો સ્ટેશન તથા મેટ્રો ટ્રેન ( Metro train ) માં ‘મતદાન જાગૃતિ’ અભિયાન અંતર્ગત વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જે અંતર્ગત યુવાનો દ્વારા મેટ્રો સ્ટેશન ખાતે ‘મતદાન જાગૃતિ’ અંગે આકર્ષક રંગોળી કંડારવામાં આવી હતી.

 Lok sabha election 2024 નાગરિકો સાથે મતદાન (Voting ) કરવા મુદ્દે સંવાદ સાધ્યો

પ્રથમ વખતના યુવા મતદારો ( Voters ) એ ગુજરાત યુનિવર્સિટીથી વસ્ત્રાલ સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તે દરમિયાન નાગરિકો સાથે મતદાન કરવા મુદ્દે સંવાદ સાધ્યો હતો. 

યુવાનોએ મતદાન પર્વના મહત્ત્વ વિશે લોકોને સમજ આપી હતી. આ ઉપરાંત ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ વ્યવસ્થાઓ, હેલ્પલાઇન નંબર, સક્ષમ એપ્લિકેશન વિશે પણ માહિતી પૂરી પાડી હતી. વધુમાં મતદાનની પ્રક્રિયા જેવી બાબતો વિશે પણ માહિતી આપી હતી.

 Lok sabha election 2024 સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ  

યુવાનો દ્વારા મેટ્રો ટ્રેનમાં ‘દસ મિનિટ, દેશ માટે’ના નાદ સાથે મુસાફરી કરતા સૌને દેશહિતમાં અવશ્ય મતદાન કરવાની અપીલ કરી હતી. મુસાફરોએ પણ અચૂક મતદાન કરવાના શપથ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેર તથા જિલ્લામાં મહત્તમ લોકો મતદાન કરે, તે દિશામાં જિલ્લા ચૂંટણી તંત્ર કાર્યરત છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Exit mobile version