Site icon

આતુરતાનો અંત, મુંબઈ બાદ હવે અમદાવાદમાં થયું ફળોનો રાજા કેરીનું આગમન, જાણી લો ભાવ

mango arrives in ahemdabad market

આતુરતાનો અંત, મુંબઈ બાદ હવે અમદાવાદમાં થયું ફળોનો રાજા કેરીનું આગમન, જાણી લો ભાવ

મુંબઈ બાદ હવે અમદાવાદના ફળ બજારમાં પણ કેરીનું આગમન થઈ ગયું છે. જે લોકો કેરી ખાવાના રસિયા છે તેઓ હવે કેરીનો આનંદ માણી શકશે. ફળોના રાજા ગણાતી કેરીનું બજારમાં આગમન થયું અને એ સાથે જ અમદાવાદના ફળ બજારમાં કેરીઓએ સ્થાન જમાવી લીધું છે.

કેરીના મોર આંબા પર ઝુલવા લાગ્યા છે. કેસર કેરી બજારમાં આવે તે પહેલા અમદાવાદના ફળ બજારમાં અન્ય રાજ્યોની કેરીની આવક શરૂ થઈ ગઈ છે. મળતી વિગતો મુજબ અત્યારે અમદાવાદના ફળ બજારમાં કેરલની રત્નાગીરી, હાફુસ કેરી આવી છે. જો કે, આ વખતે કેરીની સીઝન 15થી 20 દિવસ મોડી છે. હજુ સિઝનની શરૂઆત હોવાથી કેરી મોંઘી છે. કેરલની હાફૂસ 1000 રૂપિયે ડઝન વેચાઈ રહી છે

Join Our WhatsApp Community

ફળ બજારના વેપારીઓનું કહેવું છે કે, 15 ફેબ્રુઆરી દરમિયાન કેરલ અને રત્નાગિરિનો 15થી 20 ટકા પાક આવે છે. જોકે આ વખતે અત્યારે 10 ટકા માલ આવ્યો છે. જ્યારે માર્ચમાં આંધ્ર તમિલનાડુથી અને ત્યારબાદ ગુજરાત અને ઉત્તર પ્રદેશથી લંગડો દશેરી કેરી આવશે. કેરીની આવક ધીમે ધીમે વધતા ભાવમાં થોડો ઘટાડો થશે. આ વર્ષે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળશે.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version