Site icon

અમદાવાદ – વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

મે મહિનામાં મેટ્રોને એપ્રિલની સરખામણીએ વધુ પેસેન્જરો મળ્યા હતા 20,053,74 પેસેન્જર્સ મળ્યા હતા જ્યારે આવક 75 લાખ એપ્રિલ મહિના કરતા વધી.

Metro ridership crossed 20 lakh in a single month

અમદાવાદ - વેકેશનમાં મેટ્રોને થઈ અધધ આવક, એક જ મહિનામાં 20 લાખ મુસાફરો મળ્યા

 News Continuous Bureau | Mumbai

મેટ્રોમાં ગત એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં 4.38 સાથ પેસેન્જર્સ વધુ મળ્યા છે. વેકેશનના કારણે મોટી સંખ્યામાં મુસાફરો આવતા ગત એપ્રિલ મહિનાની સરખામણીએ મે મહિનામાં 75 લાખની આવક વધુ થઈ છે. આ ઉપરાંત આઈપીએલના કારણે પણ મેટ્રોની આવકમાં વધારો થવા પામ્યો છે.

Join Our WhatsApp Community

અમદાવાદ મેટ્રોમાં મુસાફરોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. તેવામાં મે મહિનામાં વેકેશન હોવાથી મેટ્રોને મોટી સંખ્યામાં મુસાફરો મળ્યા હતા. એક મહિનામાં 20 લાખ લોકોએ મેટ્રોમાં મુસાફરી કરી હતી જેના કારણે મેટ્રોની આવક 3.16 કરોડ રુપિયા થઈ છે. એપ્રિલ મહિનાની સરખામણીએ આ આવક વધી છે. તેમાં પણ કેટલાક આંકડા પર નજર નાખીએ તો આવકમાં પણ એપ્રિલ મહિનાની સરખામણીએ મોટો ફર્ક પડ્યો છે. જે આ મુજબ છે.

એપ્રિલ મહિનામાં 15.66 લાખ મુસાફરો

મેટ્રોને એપ્રિલ મહિનામાં 15,66,568 મુસાફરો મળ્યા હતા જ્યારે મેટ્રોને 2,40,45,916ની આવક આ સમયગાળા દરમિયાન થઈ છે.

આ સમાચાર પણ વાંચો: અમાસથી લઈને રથયાત્રા અને દેવશયની એકાદશી સુધી, અહીં જાણો જૂન મહિનાના ઉપવાસ અને તહેવારો

મે મહીનામાં 3.16 લાખની આવક

મે મહિનામાં મેટ્રોને એપ્રિલની સરખામણીએ વધુ પેસેન્જરો મળ્યા હતા 20,053,74 પેસેન્જર્સ મળ્યા હતા જ્યારે આવક 3.16 લાખથી વધુ થઈ હતી. એટલે કે મે મહિનામાં જ 4.38 લાખ પેસેન્જર્સ વધુ મળ્યા હતા જ્યારે 75.54 લાખની આવક પણ થઈ હતી.

મેટ્રો અત્યારે અમદાવાદમાં બે રુટ પર પૂર્વથી પશ્ચિમને જોડતા ચાલી રહી છે. વસ્ત્રાલથી થલતેજ રુટ કે જે મોટો રુટ છે જ્યાં પેસેન્જર્સની સંખ્યા વધું છે આ ઉપરાંત અન્ય એક રુટ મોટેરાથી એપીએમસી સેન્ટર સુધીનો છે આ રુટ પર આઈપીએલના કારણે આવક વધું થઈ હતી. કેમ કે, આઈપીએલની કેટલીક મેચો અહીં રમાઈ હતી ત્યારે સ્ટેડીયમ પાસે જ મેટ્રોનું સ્ટેશન છે મેટ્રો તેના કારણે રાત્રે 1 કલાક સુધી ચાલું રહેતી હતી. જેથી મુસાફરોની સંખ્યામાં પણ વધારો થયો છે. જેના કારણે આ રુટ પર પણ આવકમાં વધારો થયો છે.

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version