Site icon

Western Railway: 18 મી જૂનના રોજ પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર પેન્શન અદાલતનું આયોજન

Western Railway: પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 18 જૂન, 2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.

Pension Court held on 18th June at Ahmedabad Division of Western Railway

Pension Court held on 18th June at Ahmedabad Division of Western Railway

News Continuous Bureau | Mumbai

Western Railway:  પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર રેલવે બોર્ડની સૂચના મુજબ નિવૃત્ત કર્મચારીઓના પેન્શન ( Pension ) સંબંધિત પ્રશ્નોના ઝડપી નિકાલ માટે 18 જૂન, 2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. 

Join Our WhatsApp Community

અમદાવાદ ડિવિઝનમાંથી ( Ahmedabad Division ) જે પણ કર્મચારી સેવાનિવૃત્ત થયા છે તે પેન્શનરો/ફેમિલી પેન્શનરોની પેન્શન સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે ડિવિઝનલ રેલવે મેનેજર ઑફિસ, અમદાવાદ ખાતે 18.06.2024 (મંગળવાર)ના રોજ પેન્શન અદાલતનું ( Pension Court ) આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદ ડિવિઝનમાંથી રેલ્વે સેવામાંથી નિવૃત્ત ( retired employees ) થયેલા તમામ કર્મચારીઓ, પેન્શનરો/કૌટુંબિક પેન્શનરો અને પેન્શન સંબંધિત ફરિયાદો હોય, તેઓ તેમની અરજી (ત્રણ પ્રતિકૃતિમાં) ડિવિઝનલ રેલવે મેનેજર (સ્થાપના) ઑફિસ, પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન, જીસીએસ હૉસ્પિટલ ની સામે અમદુપુરા અમદાવાદ માં 31.05.2024 સુધી સબમિટ કરી શકે છે. કૃપા કરીને અરજીમાં તમારું નામ, હોદ્દો, છેલ્લો પગાર, ભરતીની તારીખ, નિવૃત્તિની તારીખ, PPO નકલ અને ફરિયાદનો પ્રકાર દાખલ કરો.  જો કોઈ પેન્શનર ઈમેલ દ્વારા અરજી કરવા માંગે છે, તો તે આપેલ ઈમેલ ID- pensionada…@gmail.comપર પણ અરજી કરી શકે છે.

આ સમાચાર પણ વાંચો :  Cannes Film Festival: 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભારત પર્વની ઉજવણી કેન્દ્રસ્થાને

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Noida-Ahmedabad School Bomb Threat: નોઇડા અને અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી; ઇમેઇલ બાદ પોલીસનું સઘન સર્ચ ઓપરેશન શરૂ
Western Railway: તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર: અમદાવાદ મંડળમાંથી ચાલતી વધુ ત્રણ ટ્રેનો માટે ઓટીપી પ્રમાણિકરણ 24 ડિસેમ્બર થી લાગુ*
Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Exit mobile version