Railway : રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ કરનારા 7 રેલવે કર્મચારીઓ સન્માનિત

Railway : પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા એ મંડળના 7 રેલવે કર્મચારીઓને સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કાર્યના અમલ માટે સન્માનિત કર્યા.

News Continuous Bureau | Mumbai

Railway : પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળ ( Ahmedabad Mandal ) પર મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા એ મંડળના 7 રેલવે કર્મચારીઓને ( Railway employees ) સુરક્ષિત ટ્રેન પરિચાલનમાં ઉત્કૃષ્ટ કાર્યના અમલ માટે સન્માનિત ( Honored ) કર્યા.  આ રેલવે કર્મચારીઓને ડ્યુટી દરમિયાન તેમની સજાગતા અને સતર્કતાને લીધે અપ્રિય ઘટનાઓને રોકવામાં તેમના યોગદાન માટે પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા.

Join Our WhatsApp Community
Railway 7 Railway employees honored for outstanding work in railway security

Railway 7 Railway employees honored for outstanding work in railway security

વરિષ્ઠ મંડળ સંરક્ષા અધિકારી શ્રી રાકેશ કુમાર ખરાડીએ માહિતી આપતાં જણાવ્યું કે સર્વ શ્રી એસ.કે.સરીન લોકો પાયલોટ, રામરૂપ મીના સહાયક લોકો પાયલોટ, આશિષ કુમાર સ્ટેશન માસ્ટર મુન્દ્રા પોર્ટ, રામ કિશોર ટ્રેન મેનેજર ગાંધીધામ, કાર્તિક શર્મા સ્ટેશન માસ્ટર ઝુંડ, સંદીપ કુમાર પટેલ સ્ટેશન માસ્ટર ડભોડા અને પ્રદીપ કુમાર પ્રસાદ કાંટેવાળા ડભોડા ને પ્રમાણ-પત્ર આપીને સન્માનિત કર્યા. તમામ સન્માનિત કર્મચારીઓ એ રેલ સંરક્ષામાં ખામી જણાવા પર યોગ્ય કાર્યવાહી કરને અણગમતી ઘટના અને સંભાવિત હાનીથી બચાવ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Air Pollution: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે કાફલો છોડીને રસ્તા પર ઉતર્યા, આ મામલે કરી કાર્યવાહી.. જુઓ વિડીયો..

મંડળ રેલવે મેનેજર શ્રી સુધીર કુમાર શર્મા એ આ સજાગ સંરક્ષા રેલવે પ્રહરીનો ઉત્સાહ વધાર્યો. અને કહ્યું કે યાત્રીઓની સંરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને જ્યારે રેલવે કર્મચારી પોતાની ડ્યુટી દરમિયાન સજાગતા અને સતર્કતાથી કામ કરે છે તો અમને સલામત ટ્રેન વર્કિંગમાં મદદ મળે છે. અમને આ રેલવે કર્મચારીઓ પર ગર્વ છે. 

Railway 7 Railway employees honored for outstanding work in railway security

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Palanpur Ahmedabad train disruption: પાલનપુર–અમદાવાદ ખંડ પર સ્થિત જગુદણ સ્ટેશન યાર્ડમાં પુલ સંખ્યા 985ના પુનર્નિર્માણને કારણે રેલ યાતાયાત પ્રભાવિત
Indian Railways: કેબિનેટે મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યોના 4 જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટિ-ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી, જેનાથી ભારતીય રેલવેના હાલના નેટવર્કમાં લગભગ 224 કિમીનો વધારો થશે
Organ donation Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં થયું ૨૨૧મું અંગદાન : એક લીવર, બે કિડનીનું દાન મળ્યું
Jagudan station block: *જગુદણ સ્ટેશન પર એન્જિનિયરીંગ કામ માટે બ્લૉકના કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત રહેશે*
Exit mobile version